SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈઓ એકાએક ત્યાં આવ્યા તેથી પોતાના પાપની શંકાવાળી સત્વરે ઉઠવા જતાં તેના ખોળામાંથી નળી નીચે પડી. તેને જોઈને તે બંને એ વિચાર્યું ઓહ આ તે જ મહા અનર્થનું કારણ થયું છે. પછી વૈરાગ્ય પૂર્વક તે બંનેએ દિક્ષા ગ્રહણ કરી ભવનો પાર પામ્યા ઈતિ શિવ અને શિવદત્ત ના ધનલોભ વિશેની કથા થઈ. હેલા શ્રેષ્ઠિની કથા હેલા શ્રેષ્ઠિની કથા આ પ્રમાણે -કોઈક એક ગામમાં હેલા નામનો શ્રેષ્ઠિ અને હલી નામે તેની પત્ની અને ભાલક નામનો તેનો પુત્ર રહેતો હતો તે શ્રેષ્ઠિ મીઠા વચન, ખોટા તોલમાપ, નવા જુના વિ. ની ભેળસેળ, રસમાં ફેરફાર, ચોરે ચોરેલું લેવા વિ. ના પાપ વ્યાપાર વડે ભોળા લોકોને ઠગવાની વૃત્તિથી (ઠગવા વડે) ધનને મેળવે છે. ભેગું કરે છે અને તે ધન મલવા છતાં પણ વર્ષને અંતે ચોર, અગ્નિ, રાજા વિ. થી નાશ પામે છે. એક વખત બીજા ગામમાં રહેતા શ્રાવકની પુત્રી સાથે પુત્રને પરણાવ્યો વહુ ધર્મને જાણનારી શ્રાવિકા હતી. ઘરની નજીકમાં આવેલી દુકાનમાં બેઠેલા શ્રેષ્ઠિ માલ ખરીદવાના વખતે પહેલા કરેલા સંકેત પ્રમાણે પાંચ પોકર, ત્રણ પોકર નામના માપના સબંધથી પુત્રને પણ પાંચ પોકર ત્રણ પોકર રૂપ બીજા નામથી બોલાવે છે. તેણે વેપાર સબંધી બધી વાત ખુલ્લી કરીને કહી – પછી ધર્મની અર્થી એવી તે વહુએ શ્રેષ્ઠિને વિનંતી કરી કે આ રીતે પાપ વ્યાપારથી મેળવેલું ધન આપણને ધર્મ માટે થતું નથી ભોગને માટે પણ થતું નથી ઘરમાં પણ ટકતું નથી (સ્થિર થતું નથી, તેથી ન્યાય પૂર્વક ધન મેળવવું કલ્યાણકારી છે. ત્યારે (શ્રેષ્ઠિએ કહ્યું ન્યાયપૂર્વકના વ્યાપારથી આપણો વ્યવહાર કેવી રીતે ચાલે ? વહુએ કહ્યું - શુધ્ધ વ્યાપારથી મેળવેલું થોડું પણ ઘણું ટકે છે. સુક્ષેત્રમાં વાવેલા બીજની જેમ, દાનમાં આપેલું ધન પણ બહુફલને આપે છે. ભોગાદિની પ્રાપ્તિથી નિઃશંક પણે મનને સુખ અને સમાધિની પ્રાપ્તિ થાય છે. જો તમને , , . . . [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (68) મ.અ.અંશ-૧,તરંગ-લો -:: ::: ... આજ ના
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy