SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણા કર્મબંધ થાય છે. જિનેશ્વરની પૂજાને યોગ્ય પુષ્પ ફળ આભૂષણ વિ. મુનિના (સાધુના) પાત્રા વિ. ના જીવોના શરીરો પુણ્યના સાધન રૂપ હોવા છતાં પણ પુણ્યબંધ થતો નથી કારણ કે તેના હેતુ ભૂત વિવેકરૂપ પરિણામ વિ. નો અભાવ હોવાથી, સિધ્ધોને તો બંધના કારણભૂત અવિરતિ, મિથ્યાત્વ, કષાય અને યોગ રૂપ બંધ હેતુઓનો અભાવ હોવાથી બંધ નથી એ પ્રમાણે મહાઆરંભની પ્રવૃત્તિના હેતુ રૂપ ગાડુ, લાંગલ, સાંબેલુ (મૂસલ), તલ, શેરડી વિ. પિલવાના યંત્રો, (ઘાણી અને કોલુ) રેંટ, શસ્ત્રો વિ. ના જીવોનું હિંસાનુ કારણ પણે વિચારવું આ પ્રમાણે હિંસા બતાવી.... ૧ તેવી જ રીતે તેઓને પૂર્વે કહેલી યુક્તિ વડે સત્યના પરિણામ ન હોવાથી અસત્ય સમજવું. વળી મનુષ્યોને અસત્યવાદનું કારણ હોવાથી પણ અસત્ય પાપ છે. દેખાય છે કે ઘણાય સહકાર (આંબો) રાયણ આદિ ઉત્તમ વૃક્ષના વન વિ. ના વિષયમાં રક્ષા, ધનિકપણું બતાવવા માટે કલહ કરતાં હોય છે. (અથડાતા હોય છે.) તેવી રીતે બહેડાના ઝાડ વિ. મિથ્યા આભાસ ઉત્પન્ન કરવા આદિ વડે કલહને ઉભો કરે છે. “શોકના નાશ માટે અશોક, કલહના નાશ માટે કલિ વૃક્ષો “ઈતિ” તે વચનથી જણાય છે. તથા કેટલાક મોહનવલ્લિ વિ. મોહને ઉત્પન્ન કરવા થકી મનુષ્યોને માર્ગની દિશાથી વિપરીત દિશા વિ. બતાવે છે. કેટલાક ઠગના હાથમાં આવેલા મનુષ્યોને ઠગતા માટી વિ. માં પણ સુવર્ણ બુધ્ધિને, વૈરિ વિ. માં પણ સ્વજનાદિની બુધ્ધિને વિવિધ પ્રકારોમાં પોતાનો ઘાત વિ. અકાર્યોમાં પણ કર્તવ્યની બુધ્ધિ કરાવે છે. રાજા, સ્ત્રી, પ્રજા વિ. નું વશીકરણ જુદા પાડવાનું, મોહ વિ. ને પણ ઉત્પન્ન કરતી અસત્યના પ્રતિભાસવાળી પ્રવૃત્તિ આદિ ઉભી કરે છે. કેટલીક ઔષધીઓ સ્વાભાવિક પણે વસ્તુમાં રહેલી શક્તિથી અથવા મંત્ર, દેવતાદિના વશથી પોતાનો પ્રભાવ વિ. સત્ય કહે છે. અને અસત્ય પણ કહે છે. ઔષધિના વશથી દીપાવતાર, જેલાવતાર વિ. માં કન્યાદિઓ ઔષધિઓ રત્નો વિ. આપે છે. કેટલીક હું આપુ છું. એમ કહીને આપતી પણ નથી ઘણા કથાનકોમાં આવું સંભળાય છે. ઈત્યાદિ અનેક પ્રકારે અસત્યના પ્રકારો છે. રા| વળી બધાય વૃક્ષાદિના જીવો સચિત્ત આહારને લે છે. તે જીવો આપ્યું ન | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (26) અ.અંશ-૧,તરંગ-૫ , , , , , , , , , , , , * . . . . . . . . . . , , , , , , , , , , ,
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy