SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈક શુધ્ધ સમ્યકત્વ માત્રથી મેળવેલા પુણ્યવાળા ભવાન્તરમાં અલ્પ અને વિશેષ સુખાદિ રૂપ આકરની અપેક્ષાથી પરસ્પર કંઈક વિશેષ લાભ પામે છે. એટલે કે પ્રમત્ત અલ્પસુખ અને તેનાથી કાંઈક વિશેષ વધુ અપ્રમત્ત પામે તેવી રીતે ફલાકાર જેવા દેવભવે પણ પ્રમત્ત અપ્રમત્ત નરની જેમ સમ્યગુદૃષ્ટિ હોવા છતાં ઉદ્યમવાળા અને ઉદ્યમ વગરના વિષયક્રિડાથી મિશ્ર સ્વલ્પ ઉદ્યમી અને બહુ (વધુ) ઉદ્યમી જિન પૂજાદિ માત્રથી પુણ્ય સંચય કરવાથી નરભવમાં પૂર્વની જેમ બહુ ભોગરૂપ સુખને વિશેષ પામે છે. (પ્રમત્ત કરતાં અપ્રમત્ત થોડું કંઈક વધારે પામે છે.) નરકની અપેક્ષાએ વધારે સુખ પામે છે. તેવી જ રીતે ચંદનાકર સમાન તીર્થંચ ભવમાં ક્યારેક જાતિ સ્મરણાદિના કારણે પ્રાપ્ત થયેલા બોધવાળા સમ્યગુ દેશવિરતિ આદિ પામી નિરુદ્યમી અને ઉદ્યમવાળા નરભવ અને અલ્પધ્ધિવાળા સુરભવાદિની પ્રાપ્તિથી સહસ્ત્રાર નામના આઠમા દેવલોક સુધીના સુખને બહુતર (વિશેષતર) ભોગવે છે - પામે છે. આ પ્રમાણે ઉપલક્ષણથી બતાવેલ ત્રણ આકરની વિચારણા થઈ અને વળી જેવી રીતે રત્નાકરને પામેલા રત્ન લેવામાં પ્રમત્ત અને અપ્રમત્ત પોતાના નગરમાં આવેલા બહુ અલાભ (સામાન્ય લાભ) અપ્રમત્તના લાભની અપેક્ષાએ કરીને પ્રમાદીને સામાન્ય લાભ અપ્રમત્તને બહુલાભ થાય છે. તેવી રીતે નરભવમાં પ્રાપ્ત થયેલા અજ્ઞાત ધર્મીઓ પણ જિનધર્મને વિષે પ્રમાદવાળા બહુ અલાભ રૂપ નરકાદિને મેળવવાથી સુખની હાની અને દુઃખના સમુદાયને પામે છે. અને અપ્રમત્ત ઘણા લાભ રૂપ દેવલોક કે શિવસુખ રૂપ મહાસુખને પામે છે. // આ પ્રમાણે તરંગ બીજાનો સંક્ષેપ | મધ્યાધિકારે પ્રથમ અંશે (તરંગ-૩). હવે મહામુલા પુણ્યરત્નવડે પ્રાપ્ત થયેલ નરભવનું રત્નાકર પણું બતાવે E s ssssss. . . . . . . . . . . * * | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (18) મ.અ.અંશ-૧,તરંગ-૩ કાકા: 5:15 રાજી
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy