SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કરશે તો હું આ વડના વક્ષપર લટકાવીશ. મિત્રોના આવા વચનો હતા. નાના સાધુ પ્રત્યે દેડકી મારનાર સાધુનો ક્રોધ, વામનસ્થલી શ્રાવકનો પુત્રો પ્રત્યેનો ક્રોધ, મેતાર્યાદિનો જાતિનો મદ ઈત્યાદિ આવા પ્રકારના વચનો વિ. નું પરલોકમાં શૂળીપર ચઢવાનું (ફાંસીની સજા) અને હાથ કપાવવા વિ. ફલ સ્વલ્પ જ જાણવું. કહ્યું છે કે વધ, મરણ, આળ (કલંક) આપવું વિ. બીજાના ધનને લૂંટી લેવું. એક વખત કરેલાનું દશગણું ફળ મળે છે. ઈત્યાદિ પ્રથમો ભંગ....૧ કોઈક પાપ સ્વલ્પ હોય છે. અને બહુદોષવાળું હોય છે. તીવ્ર અશુભ અધ્યવસાય વડે કરવાથી, બીજાને બહુપીડા આદિનું કારણ હોવાથી ઘણાંઓને પાપપ્રવૃત્તિનું કારણ હોવાથી અથવા જિનાજ્ઞાનું ઉલ્લંઘન આદિ કરવાથી બહુ દોષવાળું પાપ જાણવું.. દા.ત. તંદુલ મત્સ્યનો અંતર્મુહૂત માત્ર હિંસાનો પરિણામ, “કુણાલામાં હે મેઘ તું વરસ” ઈત્યાદિ કરી કરટઉત્કરટ મુનિના વચનો, કપીલ! અહીંયા અને ત્યાં પણ ધર્મ છે એવા મરીચિના વચનો, પ્રાસુક પાણીથી મારું શરીર નાશ પામ્યું છે. ઈતિ એકવારનું વચન, પૂર્વ કર્મના કારણે ઉત્પન્ન થયેલ કોઢ રોગવાલી રજ્જા આર્યાનું વચન, અજ શબ્દના અર્થના વિષયમાં વસુરાજાની જુઠી સાક્ષી, (જુઠું બોલવું) રાવણ રાજા અને ગર્દભિલ્લ રાજા વિ. નો પર સ્ત્રી પરનો રાગ, લક્ષ્મણા સાધ્વીનું માનસિક સુક્ષ્મરાગનું પાપ અને સાગર અને સંકાશ શ્રેષ્ઠિ વિ. નું જિનદ્રવ્યના લેશ માત્ર સ્પર્શનું પાપ તેમાં રજ્જા સાધ્વીનો સંબંધ મહાનિશીથમાં કહેલો છે તે સંક્ષેપથી કહીએ છીએ. ( રજા સાથ્વીનું દ્રષ્ટાંત) અગીતાર્થપણાના દોષથી સારાસારને નહિ જાણતી રજ્જા સાધ્વીએ વચન દ્વારા જે પાપ ઉત્પન્ન કર્યું તેની a wares - પ ક ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) પ્ર.ઉ.ના અં.૪,ત.૯ : wwwા : :::::::::::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy