SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકારવાળો અને સમ્યગૂ જીવાદિ પદાર્થનું પ્રકાશ કરનારો સંપૂર્ણ પ્રકાશકારી છે. પરંતુ જે રીતે વાદળવાળા પણ દિવસે સજ્જનોની જે ક્રિયા પ્રવૃત્તિ થાય તેવી પૂર્ણચંદ્રવાળી વિશુધ્ધ રાત્રિને વિષે થતી નથી. તેથી તેવી રાત્રિ સમાન અવિરત સમ્યગુ દૃષ્ટિ ધર્મની દેવગુરૂની ભક્તિ વિ. કંઈક ક્રિયામાં પ્રવૃતપણા વિષે પણ વિરતિ આદિ વિશેષ ક્રિયાનુષ્ઠાનની પ્રવૃત્તિનું કારણ બનતું નથી. પરંતુ નિંદ્રા વિ. સારિખા વિષય કષાયાદિ પ્રમાદનું નિરોધકપણું થાય છે. આ ધર્મ જઘન્યપણે આરાધવાથી પણ મનુષ્ય અથવા તિર્યંચ સૌધર્માદિક સુરલોકની પ્રાપ્તિ કરે છે. આગમમાં કહ્યું છે કે..... જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે તે વિમાનિકને છોડીને બીજુ આયુષ્ય બાંધતો નથી. II૬ll (૭) વાદળની શ્રેણીવાળા દિવસની જેમ વિશુધ્ધતર પ્રકાશયુક્ત દેશવિરતિ શ્રાવકધર્મ છે. કારણ કે તે પ્રાપ્ત થતાં દેશવિરતિ આદિ વિશેષ ક્રિયાનુષ્ઠાનની પ્રવૃત્તિ થાય પરંતુ જેવીરીતે વાદળવાળા દિવસે મનુષ્યના શરીરમાં આળસ થવા વિ. ના કારણે વિશિષ્ટતર ક્રિયાનુષ્ઠાનમાં પુરુષાર્થ થતો નથી. તેવી રીતે તે ધર્મ હોવા છતાં જાડાવસ્ત્રની ઉપમા સમાન પ્રત્યાખ્યાનાવરણ કષાયથી ઉત્પન્ન થયેલા આળસ (પ્રમાદ) વિ. ના કારણે જીવોને સર્વવિરતિરૂપ વિશિષ્ટત્તર ક્રિયાનુષ્ઠાનમાં વિર્ય પ્રસ્કુરિત થતું નથી. ઝાંખાદિવસ સરિખા કુટુંબપરનો મમત્વ ભાવરુપ કંઈક અંધકાર જતો નથી. આથી ઉત્કૃષ્ટથી બારમાદેવલોક સુધીની ગતિ થાય છે. ઈતિ IIછા (૮) વાદળ રહિત દિવસની જેમ નિર્મલતમ પ્રકાશવાળો શ્રી જિનેશ્વર ભગવાને કહેલો યતિ (સાધુ) ધર્મ છે. પહેલા કહેલાં અંધકારાદિ સરિખા મિથ્યાત્વ વિષય પ્રત્યાખ્યાનાવરણનો અન્ત થવાથી અને કષાય વિગેરે સમસ્ત કાળાશ રહિતપણાથી સર્વવિરતિરુપ સર્વોત્તમ ક્રિયાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવાપણાથી નિર્મલતમ યતિધર્મ છે. આ ધર્મની ઉત્કૃષ્ટ આરાધનાથી જીવો શિવ સુખને પામે છે. મેળવે છે. કહ્યું છે. કે.... જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કેટલા પ્રકારે કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે.. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધનાથી તેજ ભવમાં ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 107) મ.અં.ર, તરંગ-૬ || : ' કે ' , ' ','. • , ' , , , , , , , ,
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy