SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીએ રાંધ્યું નથી તે શું ખાવું? જા તેના ઘરે થી કોઈપણ પ્રકારનું શાક લઈ આવ આ પ્રમાણે તેના કહેવાથી તે પ્રથમશ્રીએ શોક્યની પાસે જઈ શાક માંગ્યું. ત્યારે તે દ્વીતીય શ્રીએ કહ્યું આજે કોઈપણ જાતનું શાક બનાવ્યું નથી. ત્યાંથી પાછી આવીને તેણે તે વાત પતિને કહી. તલવરે ફરી તેણીને કહ્યું : “પાછી જા અને જે કાંઈ બચેલું હોય તેમાંથી માંગીને લઈ આવ પાછી ત્યાં જઈને પ્રથમશ્રીએ માંગ્યું ત્યારે તે શોક્ય એવી દ્વિતીય શ્રીએ કહ્યું કે નોકરોને આપ્યા બાદ પણ કાંઈ પણ વધેલું નથી તે વાત પણ તે પ્રથમ શ્રીએ પતિને કહી. છતાં અસંતોષી અને રાગી એવા તેણે કહ્યું કે કાંજી જેવું કાંઈ પણ તેના ઘરેથી લઈ આવ. ત્યારે તે પ્રથમ શ્રી ગુસ્સામાં આવી ધમધમ કરતી બહાર આવી જઈને તુવર ચણાથી મિશ્રિત તાજુ પડેલું વાછરડાનું છાણ લઈને કાંઈક સંસ્કાર આપીને તેના ઘરેથી લાવી છું. તેમ કહેતી તેની સામે તે શાક મૂક્યું. તે ખાતાં સંતોષ પામેલો તલવર બોલ્યો “અહો ! આ કેવું મીઠું છે. સાચે સાચ અત્યંત સ્વાદુ છે ઉત્તમ સ્ત્રી નો આ ગુણ છે. જેવું પતિને ગમે તેવું કરે છે? જે રીતે એ સ્ત્રી પરના રાગ વાળો તલવર ગુણ દોષના વિવેકથી રહિત બન્યો તે રીતિએ જે કોઈ દૃષ્ટિ રાગી બને છે તે વિશેષ કરીને ગુણ દોષનો વિવેક કરી શકતો નથી અથવા તે વિવેક વિનાનો બને છે. વળી કહ્યું કામરાગ, સ્નેહરાગને તો દૂર કરી શકાય છે. પરંતુ અત્યંત ખરાબ દૃષ્ટિરાગ તો સજ્જન પુરુષોથી પણ તોડવો દુષ્કર છે. વળી મિથ્યાત્વ રૂપ કલંકથી મલિન આત્મા વિપરિત દર્શન (શ્રધ્ધા) વાળો બને છે. જેવી રીતે તાવવાલાને મધુરરસ પણ કડવો લાગે છે. તે રીતે મિથ્યાદૃષ્ટિને સાચો ધર્મ પણ અરુચિકર બને છે ....... ઈતિ અતિશય ક્રોધ અને માન વાળો વૈષી બને છે. જેને જેના ઉપર વેષ હોય છે તે તેના ગુણોને પણ દોષ રૂપે જ જુએ છે. તે દ્વેષીને હિત બુધ્ધિથી અપાતો ઉપદેશપણ પરિણામે સુંદર હોવા છતાં શ્રેષના કારણે ગુણને માટે થતો નથી. પરંતુ એથી વિપરિત ઉપદેશકને દુર્યોધન રાજાની જેમ અનર્થ કરનારો થાય છે. essessma ណដណណណ ណ នាអាកទងនasaeaassage ઉપદેશ રત્નાર્કર (ગુર્જર ભાવાનુવાદ) (15 aeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeb®eeese તરંગ - ૩ છaaaaaaaaaaaaazaa22aa28tવાસી ,
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy