SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યારેય મલ શૌચાદિ દૂર કરવાને માટે પણ તે પાણીનો સ્પર્શ પણ કરતા નથી. કદાચ તેનો સ્પર્શ થઈ જાય તો પણ તેને સારું કરવા માટે બીજા પાણીનો ઉપયોગ કરાય છે. પશુઓ પણ પ્રાયઃ કરીને તેવા પાણીને પીતા નથી. માત્ર ખાડામાં રહેલા ભૂંડ વિ. તેમાં રહે છે. (ઉપયોગ કરે છે) તેવી રીતે મિથ્યાત્વથી કલુષિત ધર્મ પ્રાયઃ મિથ્યાત્વના સહચાર વડે બહુતર રાગ, દ્વેષ, મદ, મત્સર, લોભ, દંભ, મોહાદિ વડે અત્યંત મલિન, યજ્ઞ, હોમાદિના બહાનાથી પ્રાણી વધ વિ. થી અત્યંત અપવિત્ર, સર્વથા તત્વાદિના વિચાર, વિવેકાદિથી રહિત, હોવાથી દંભ વગરના (સરળ) મનવાળાઓને મોક્ષના ઈચ્છુક અને આત્માની શુધ્ધિને ઈચ્છનારાઓને સર્વથા ત્યાજ્ય જ છે. ઉલ્યું, અત્યંત તીવ્રતર પાપમલનું કારણ હોવાથી દૂરથી જ છોડવા જેવું જ છે. કેવલ ભારી કર્મી, ગાઢ મોહથી હણાયેલા વિવેકરૂપી ચક્ષુવાળા (વિવેક વગરના) તેથી જ (વિવેક રહિત હોવાના કારણે) તેવા પ્રકારના પ્રાયઃ પશુ જેવા કોઈકનેજ આદરણીય થાય છે. - દા.ત. શ્રી કાલિકસૂરીનો ભાણેજ દરરાજાની જેમ. ઈતિ પ્રથમ ધર્મ પદની વિચારણા થઈ IIII. (૨) જીર્ણપાણી - તેવી રીતે જલ (પાણી) પ્રાયઃ વરસાદના અભાવે (વર્ષા ચાલી ગયા પછી) નાશ પામે છે. પછી તે ખરાબ સ્વાદવાળું, દુર્ગધવાળું અને વિકારને કરનારૂં બને છે. વળી તે જો પશુગણથી કલુષિત થયેલું હોય ત્યારે વિશેષ પણે ખરાબ સ્વાદ વિ. વાળું પીવા યોગ્ય બનતું નથી અને દૂર હોય અથવા પાણીનો અભાવ હોય તો પણ સ્નાન વિ. માં અનુપયોગી છે. અને કદાચ બીજું પાણી પ્રાપ્ત ન થવાથી તેવા અવસરે જો પીવામાં આવે ત્યારે પણ તેવા પ્રકારની તૃષા વિ. નું શમન થતું નથી ઉલ્ટે કંઈક રોગ વિ. વિકાર કરનારું પણ બને છે. તેનાથી સ્નાન કરવાથી અંગ શુધ્ધિ વિ. પણ બરાબર થતી નથી. વસ્ત્રાદિની પણ શુધ્ધિ થતી નથી. ઉલ્ટે કંઈક મેલથી ઉપયુક્ત પણ બને છે. , પરંતુ પરિખા (ખાઈ) ના પાણીથી વિશિષ્ટ છે. બીજા પાણીના અભાવ આદિના કારણે લોકો વડે ઉપયોગમાં લેવાતું હોવાથી અને મનુષ્યના મળ, Thahatmainantnagawanshahahahahahahnaittainitionsuminantissansaagean યણમાં 198899988899982298eeeeeesaaaaaaaaaaaaaaaaaaaa | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (307) અંશ-૪, તરંગ-૨ titaniaRahakBaa%BBEBBBBBigBaataaaaaaaaaaaati
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy