SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પરલોકમાં સાતમી નરક સુધીના ભયંકરમાં ભયંકર દુર્ગતિના દુ:ખોને અનુભવે છે. - પામે છે. ઈતિ દૃષ્ટાંત દાષ્ટાંતિકના વિચાર વડે ચોથા પ્રકારના ધર્મની વિચારણા થઈ અને આ ચાર પ્રકાર પણ માત્ર ભોગ માટેની જ ઈચ્છાથી પ્રાયઃ સર્વથા ધર્મથી વિમુખ જ બને છે. ll (૫) હવે મૃગ આદિના દૃષ્ટાંતો વડે ધર્મના અર્થિઓ મિથ્યાત્વ આદિથી સંસ્કારિત થયેલા સુખના ઈચ્છુક હોવા છતાં પણ સમ્મસુખના ઉપાયોને નહિ જાણવાથી તેને અનુકુલ રહેતાં દુઃખને અનુભવે છે. અથવા અલ્પ સુખને અનુભવે છે. જેવી રીતે મૃગ મૃગલી એક દિશામાં પાશમાં બંધાયેલાને જોઈને મરણથી ડરતાં શરણને અને રક્ષણને ઈચ્છતા હોવા છતાં પણ તેના ઉપાયને અને નાશવાની દિશાને નહિ જાણતા તેવી રીતે નાશ છે કે જેથી કરીને જાળ (પાશ)માં જ પડે છે. સુખના અર્થિ હોવા છતાં પણ બંધ મરણાદિ કદર્થનાના દુઃખો, પીડા વિ. ને અનુભવે છે. એ પ્રમાણે લૌકિક મિથ્યાષ્ટિઓ બૌધ્ધ શીવ-શક્તિ-જૈમીનીય-વૈશેષિક વિમલને માનનારા વતિ (યતિ)ઓ બ્રાહ્મણ વિ અને ચરક, પરિવ્રાજક, ત્રિદંડીક, યાજ્ઞિક, આદિ અને તેને અનુસરનારા અથવા રાજા, પ્રધાન, વેપારી વિ. કંઈક કેટલાક વૈરાગ્યવાળા ઉપદેશના શાસ્ત્રો વડે જન્મ - જરા - મરણાદિ ભવ દુઃખોથી ડરતાં હોવા છતાં પણ તેઓથી શરણરક્ષણની દિશાને નહિ જાણનારા કુગુરુએ કહેલા કુશાસ્ત્રોના વચનોથી ભરમાયેલા તેણે બતાવેલ ધર્મની બુધ્ધિથી યાગ, અગ્નિ હોમ, કુદેવની પૂજા, પશુ હોમ, વધ, માથાદિસ્નાન, કુદાન, વૃક્ષારોપણ, કન્યા વિવાહ આદિ મહા આરંભથી યુક્ત અનુષ્ઠાનોને, સત્યધર્મની સાધનાદિ ન કરવાથી ખોટા (ફોગટ - મિથ્યા) કરતાં કર્મ વિપાક રૂપ મૃગચૂપ ઉપર સ્થાપન કરેલા પાપ બંધ રૂપ પાશમાંજ પડેલાં અહીંયા અને પરલોકમાં પણ સ્વર્ગ-અપવર્ગ મોક્ષાદિના સુખના અર્થિ હોવા છતાંય જૈનાગમમાં પ્રસિધ્ધ ભદ્રપરિણામી પાડો પૂર્વે કહેલા ચારૂદત્ત અને તેના સંબંધવાળા બકરા વિ. ના દૃષ્ટાંતો વડે અનંત ભવરૂપ દુઃખની શ્રેણિના સંતાપને જ પામે છે. અને કેટલાક અતિ ઉગ્ર તપ ક્રિયા વડે યોગાદિના Intaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa283823292328ea9cesansadseaseઝરડા કatassaણasીયાકાકરાણter sagassageણશ08eenage388888888888888888888 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 260 અંશ-૩, તરંગ-૩ Haaaaaaaaaaaaaaa############# ##ી
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy