SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ અધ્યાત્મસ્વરૂપાધિકાર સમજી શકતો નહીં હોવા છતાં, દરેક પ્રવૃત્તિ ગુરુને પરતંત્ર રહીને જ કરે છે, તેથી અપુનબંધકને ગુરુપાતંત્ર્ય પ્રધાનદ્રવ્યરૂપ છે. વળી અપુનર્બધકને “અનાભોગબહુલ' કહેલ છે, અર્થાત્ ગુરુ જે કહે છે, તેને સ્થૂલથી જ તે સમજી શકે છે, પરંતુ તેમના વચનાનુસાર સમ્યગુઅનુષ્ઠાન તે કરી શકતો નથી. જ્યારે સૂક્ષ્મપ્રજ્ઞાવાળા માણતુષમુનિ જેવા જીવો ગુર્વાજ્ઞાના પરમાર્થને પકડીને તે જ રીતે યત્ન કરે છે, માટે ભાવથી તેઓમાં ગુરુપરતંત્ર છે. તેથી પ્રસ્તુત શ્લોકમાં પ્રધાન દ્રવ્યકારણરૂપ ગુર્વાજ્ઞાનું પાતંત્ર્ય ગ્રહણ કરીને અપુનબંધકના બીજા પ્રકારના અનુષ્ઠાનને મોક્ષના કારણરૂપે સ્થાપન કરેલ છે. [૨-૨મા અવતરણિકા - શ્લોક-૧૨માં સ્થાપન કરેલ કે અધ્યાત્મ તે જ્ઞાનક્રિયારૂપ છે. હવે સ્વરૂપશુદ્ધ ક્રિયામાં પણ જ્ઞાનક્રિયારૂપ અધ્યાત્મ કંઈક અંશથી છે, તે બતાવીને બીજા પ્રકારના અનુષ્ઠાનવાળા અપુનબંધક જીવમાં પણ અધ્યાત્મ છે, તે સ્થાપન કરતાં કહે છે – अध्यात्माभ्यासकालेऽपि, क्रिया काप्येवमस्ति हि । शुभौघसंज्ञानुगतं, ज्ञानमप्यस्ति किञ्चन ।।२८ ।। अतो ज्ञानक्रियारूप-मध्यात्मं व्यवतिष्ठते । एतत्प्रवर्द्धमानं स्यानिर्दम्भाचारशालिनाम् ।।२९।। અન્વયાર્થ : વિમ્ આ રીતે શ્લોક-૨૬-૨૭ માં બતાવ્યું. એ રીતે ૩ ધ્યાત્મિગ્રાસવાનેપિ અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ છાપ ક્રિયા ૩તિ દિ કંઈક પણ ક્રિયા છે જ (અને) જ્ઞાનં ૩પ જ્ઞાન પણ શુમો સંસાનુ અતિ શુભ ઓળસંજ્ઞાથી અનુગતયુક્ત વિશ્વન ૩રિત કંઈક છે. ત. આથી કરીને શ્લોક-૨૮ માં સ્થાપન કર્યું કે અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ કંઈક જ્ઞાન અને કંઈક ક્રિયા છે આથી કરીને, જ્ઞાનવુિં જ્ઞાન-ક્રિયારૂપ ૩ધ્યાત્મ વ્યતિખતે અધ્યાત્મ રહે છે=જ્ઞાન-ક્રિયારૂપ અધ્યાત્મ છે, એમ નક્કી થાય છે. નિર્મારશાનિનામ્ નિર્દભ આચારવાળાઓને તત્ આ અધ્યાત્મ પ્રવર્તમાનં પ્રવર્તુમાન રચાત્ થાય છે. ર-૨૮/૨૯ll
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy