SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ અધ્યાત્મસ્વરૂપાધિકાર અનુષ્ઠાનથી જ સંતોષ માનવો જોઈએ નહિ. કેમ કે અધ્યાત્મવૃદ્ધિથી જ ક્રમસર અસંખ્યાતગણી નિર્જરા શાસ્ત્ર સ્વીકારે છે, માત્ર અનુષ્ઠાનથી નહિ, એમ ‘ક’ થી સમુચ્ચય કરવાનો છે. શ્લોકાર્ય : શ્લોક-૪ માં કહ્યું કે અપુનબંધકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધી અધ્યાત્મની ક્રિયા છે. આથી કરીને, ૧. પૃચ્છાઉત્પન્ન સંજ્ઞાવાળો, ૨. પૂછવાની ઈચ્છાવાળો એવો જીવ સાધુ પાસે જવાની ઈચ્છાવાળો, ૩. ક્રિયામાં રહેલો એવો ધર્મને પૂછતો, ૪. ધર્મને સ્વીકારવાની ઈચ્છાવાળો, ૫. ધર્મને સ્વીકારતો-સમ્યગ્દર્શનને પામતો, ૭. અને પૂર્વમાં સમ્યગ્દર્શનને પામેલો, ૭. દેશવિરતિવાળો, ૮. અને સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો યતિ, ૯. અનંતાનુબંધીની ક્ષપણા કરતો, . ૧૦. દર્શનમોહનીયની ક્ષપણા કરનારો અર્થાત્ દર્શનસપ્તકની ક્ષપણા કરનારો, ૧૧. મોહનું શમન કરનારો અર્થાત્ આઠમાથી દેશમાં ગુણસ્થાનકમાં વર્તતો ઉપશમશ્રેણિવાળો, ૧૨. અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનકવાળો, ૧૩. ક્ષપકશ્રેણિવાળો=આઠમાથી દશમાં ગુણસ્થાનકમાં વર્તતો ક્ષપકશ્રેણિવાળો, ૧૪. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકવાળો, ૧૫. તેરમા સયોગી ગુણસ્થાનકવાળો (જિન કેવળી), ૧૬. ચૌદમા અયોગી ગુણસ્થાનકવાળો (અયોગી કેવલી) જીવ છે, જેઓને ક્રમસર આ અસંખ્યાતગુણ નિર્જરા કહેવાઈ છે. આથી કરીને અંશથી પણ અધ્યાત્મની વૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. ર-૮/૯/૧૦/૧૧ ભાવાર્થ :(૦) અંત:કોટાકોટિ કર્મની સ્થિતિવાળા, ગમે તે આશયથી ધર્મને કરનારા, ગ્રંથિદેશમાં રહેલા, ચરમાવર્તની બહારના, ચરમાવર્તમાં રહેલા અથવા અભવ્ય
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy