SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ અધ્યાત્મસ્વરૂપાધિકાર सामायिकं यथा सर्व-चारित्रेष्वनुवृत्तिमत् । अध्यात्म सर्वयोगेषु, तथानुगतमिष्यते ।।३।। અન્વયાર્ચ - કથા સર્વારિત્રપુ સામાયિક અનુવૃત્તિમત્ જે પ્રમાણે સર્વ ચારિત્રોમાં સામાયિક અનુવૃત્તિવાળું છે સામાન્ય છે. તથા સર્વયો; વધ્યાત્મ અનુગત તે પ્રમાણે સર્વ (મોક્ષસાધક) યોગોમાં અધ્યાત્મ અનુગત=અનુવૃત્તિરૂપે રથને ઈચ્છાય છેઃસ્વીકારાય છે. ર-૩. શ્લોકાર્ચ - જે પ્રમાણે સર્વ ચારિત્રોમાં સામાયિક અનુવૃત્તિવાળું છે અર્થાત્ સામાન્ય છે, તે પ્રમાણે સર્વ મોક્ષસાધક યોગોમાં અધ્યાત્મ અનુવૃત્તિરૂપે સ્વીકારાય છે. ll૨-૩ ભાવાર્થ - સર્વ ચારિત્રોમાં જેમ સામાયિક અનુવૃત્તિમતું છે, અર્થાત્ ભાવપૂર્વકની વિશિષ્ટ આચરણારૂપ સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રમાં “સમભાવ'ના પરિણામરૂપ સામાયિકનો ભાવ સામાન્ય છે; તેમ સર્વગુણસ્થાનકોની મોક્ષને અનુકૂળ જે આચરણા છે, તેમાં અધ્યાત્મરૂ૫ આત્માનો પરિણામ સામાન્ય છે. જોકે અપેક્ષાએ, મોક્ષને અનુકૂળ ભાવપૂર્વકની બહિરંગ આચરણા તે અધ્યાત્મ પદાર્થ છે, અને તે રીતે વિચારતાં સર્વ મોક્ષસાધક યોગો અધ્યાત્મ સ્વરૂપ છે, તો પણ જેમ સર્વ આચરણારૂપ ચારિત્રમાં “સમભાવ' નામનો પરિણામ અપેક્ષાએ પૃથફ કરી શકાય છે; તેમ અપુનબંધકથી માંડીને સર્વ મોક્ષસાધક યોગોમાં સામાન્ય રીતે વર્તતો એવો આત્માનો “અધ્યાત્મ' નામનો પરિણામ પૃથફ ગ્રહણ કરી શકાય છે. જો કે અધ્યાત્મ અને મોક્ષસાધક યોગ સર્વથા જુદા નથી, પરંતુ અધ્યાત્મ સામાન્ય સ્વરૂપ છે અને સર્વ યોગો વિશેષ સ્વરૂપ છે. જેમાં પાંચ પ્રકારનાં ચારિત્રો સામાયિકથી સર્વથા જુદાં નહિ હોવા છતાં સામાયિક સામાન્ય સ્વરૂપ છે, અને તે-તે ચારિત્ર વિશેષ સ્વરૂપ છે; તો પણ વિવક્ષાથી વિશેષ કરતાં સામાન્યને જુદું કહી શકાય છે, તેમ સર્વ યોગોમાં અધ્યાત્મ સામાન્યરૂપ છે અને સર્વ યોગો વિશેષરૂપ છે. ર-૩ અવતરણિકા : સર્વ યોગોમાં અધ્યાત્મ અનુગત છે. એ જ વાતને સ્પષ્ટ કરે છે -
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy