SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૪ વર્તમાનકાળમાં યોગ્ય એવા ઘણા જીવોને પણ તેવા પ્રકારના પુણ્યના અભાવને કારણે અધ્યાત્મશાસ્ત્ર મળતું નથી; જ્યારે તેવા યોગ્ય જીવો કરતાં ઓછી લાયકાતવાળા કોઈ પુણ્યશાળીને આ કલિકાળમાં પણ અધ્યાત્મશાસ્ત્ર મળી જાય છે, જેનાથી દિશા પકડાતાં તેમની યોગ્યતા ઘણી વિકસી જાય છે; અને પુણ્યના અભાવને કારણે અધ્યાત્મશાસ્ત્ર ન મળવાથી કેટલાક યોગ્ય જીવોની યોગ્યતા નશ પણ પામી જાય છે. II૧-૧૭ના वेदान्यशास्त्रवित् क्लेशं, रसमध्यात्मशास्त्रवित् । भाग्यभृद् भोगमाप्नोति, वहते चन्दनं खरः ।।१८।। અન્યથાર્થ : (જેમ) અરઃ ગધેડો – ચંદનને વહતે વહન કરે છે (અને) માથમૃદુ ભાગ્યશાળી મામ્ (ચંદનના) ભોગને નોતિ પ્રાપ્ત કરે છે, તેમ) ૩Tધ્યાત્મશાસ્ત્રવિત્ અધ્યાત્મશાસ્ત્રને જાણનાર રસન્ રસને (અને) ૩ શાસ્ત્રવિદ્ અન્ય શાસ્ત્ર જાણનાર વગ્નેશ ક્લેશને વેઃ અનુભવે છે. ll૧-૧૮II નોધ - અહીં વેર' શબ્દ “નાનાતિ” ના અર્થમાં છે. વળી વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એકવચનનું વેરિ’ રૂ૫ છે, તેનું વિકલ્પ “વેઢ પણ થાય છે અને અહીં તે ‘વે નો પ્રયોગ કરેલ છે. શ્લોકાર્ચ - જેમ ગધેડો ચંદનને વહન કરે છે અને ભાગ્યશાળી ભોગને પ્રાપ્ત કરે છે, તેમ અધ્યાત્મશાસ્ત્રને જાણનાર રસને અને અન્ય શાસ્ત્ર જાણનાર ક્લેશને અનુભવે છે. ll૧-૧૮મા ભાવાર્થ : ભાગ્યશાળી જેમ ચંદનના ભોગને પ્રાપ્ત કરે છે, તેમ અધ્યાત્મશાસ્ત્ર જાણનાર શાંતરસરૂપ ભોગને પ્રાપ્ત કરે છે; અને અધ્યાત્મશાસ્ત્રને નહિ જાણતો એવો ભાગ્યહીન, જેમ ગધેડો ચંદનના ભારને વહન કરે છે, તેમ શાસ્ત્રના અધ્યયનરૂપ ભારને વહન કરે છે.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy