SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ અધ્યાત્મસાર મનં અનવમ=નિષ્પાપ એવા, નવમા રસમાં=શાંતરસમાં, મગ્ન છે, તો રમ્ સ્પષ્ટ જણાતા એવા, વિષમતિમ વિષમ આયતિવાળા=ભયંકર ભાવિ ફળવાળા, ૩પતિસુદ આપાત સ્થૂલદષ્ટિથી દેખાતા સુખવાળા, વિરમ: વિકારી એવા રરઃ વિંદ ? રસો વડે શું? J૭-૧રા * અહીં “ગુ વિતર્કના અર્થમાં યોજાયેલ છે. શ્લોકાર્થ : જો મન સતત અવિકારી, નિષ્પાપ એવા શાંતરસમાં મગ્ન હોય છે, તો સ્પષ્ટ જણાતા એવા, ભયંકર ભાવિ ફળવાળા, સ્થૂલદષ્ટિથી દેખાતા સુખવાળા, વિકારી એવા રસો વડે શું? ll૭-૧રા ભાવાર્થ : રસનેન્દ્રિયના વિષયભૂત એવો આહાર, ખાધા પછી સાત ધાતરૂપે પરિણમન પામે છે, જે સાત ધાતુનું સ્વરૂપ આંખને ગમે તેવું નથી હોતું, તેથી રસનેન્દ્રિયના વિષયો વિષમ ફળવાળા છે. વળી તે રસોને ભોગવવાથી ક્યારેક શરીરમાં રોગાદિ પણ થાય છે, જે જીવને અશાતારૂપ ફળનું કારણ બને છે, તેથી પણ તે વિષમ ફળવાળા છે. વળી, સંસારમાં ભૌતિક પદાર્થોના સેવનમાં જે રાગાદિ ભાવો થાય છે, તેનાથી કર્મબંધ અને ભાવિમાં રાગાદિ ભાવ પેદા થાય છે, તેથી પણ તે ભાવિના વિષમ ફળવાળા છે. આ રીતે રસનેન્દ્રિયના ભોગોનું ભાવિના ફળને આશ્રયીને કુત્સિત સ્વરૂપ બતાવ્યું. હવે તત્કાળમાં પણ મધુર રસો સુખરૂપ દેખાય છે, તે પણ કેવા છે, તે બતાવતાં કહે છે કે, રસનેન્દ્રિયના ભોગો જીવને વિકાર પેદા કરે છે, જે માનસિક તથા ઈન્દ્રિયોના વિકારરૂપ પણ છે; અને તેનાથી થતું સુખ પણ વાસ્તવિક સુખ નથી, પરંતુ સ્થૂળ દૃષ્ટિથી દેખાતું જ સુખ છે. આ વાત તત્ત્વના જાણનારાઓને સ્પષ્ટ જણાય છે. તે સુખ સ્થૂળથી કેમ છે ? એવી કોઈને શંકા થાય, તેથી કહ્યું કે, તે સુખ આત્માનું મૂળ સુખ નથી, વિકારી સુખ છે. અને વિકારી સુખ એ સ્થૂળથી જ સુખ કહી શકાય, વાસ્તવિક સુખ કહી શકાય નહીં. જેમ ખણજ મટવાથી પણ સુખ થાય છે, અને ખણકાળમાં ખણજ કરવાથી પણ સુખ થાય છે; પરંતુ ખણજ કરવાથી થતું સુખ વિકારી સુખ છે, તેથી
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy