SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાવાર્થ : ૨૪૦ પુદ્ગલોની સુવાસ ક્ષણમાત્રમાં નાશ પામે તેવી હોય છે, જ્યારે શીલની સૌરભ લાંબા સમય સુધી ઉપયોગમાં આવે છે. વળી, પુષ્પ આદિ સુગંધી પુદ્ગલોની સુગંધનું પવન હરણ કરી જાય છે, પછી તે પાછી આવતી નથી, જ્યારે શિયળરૂપી સુગંધ વિભાવરૂપી પવન દ્વારા તિરોહિત થાય છે અર્થાત્ ઢંકાઈ જાય છે, તેમ છતાં પણ શિયલ એ તો આત્માનો પોતાનો ગુણ હોવાથી તેને હરી શકાતો નથી. તેથી કહે છે કે, બાહ્ય પૌદ્ગલિક સુગંધની ઉપેક્ષા કરીને બ્રહ્મચર્યના પાલન સ્વરૂપ ઉત્તમ શીલરૂપ સૌરભમાં જ તિ કરવી યુક્ત છે. યોગીઓને, તુચ્છ પૌદ્ગલિક સુગંધ આવર્જિત કરી શકતી નથી અને એવા સુગંધી પદાર્થોથી તેમનું ચિત્ત વિરક્ત ભાવવાળું હોય છે. Il૭-૧૦ના અવતરણિકા : હવે ચતુર્થ રસનેન્દ્રિયનો વિષય કેમ વિકારી થતો નથી ? તે બતાવે છે - मधुरैर्न रसैरधीरता, क्वचनाध्यात्मसुधालिहां सताम् । अरसैः कुसुमैरिवालिनां, प्रसरत्पद्मपरागमोदिनाम् । । ११ । । અન્વયાર્થ : પ્રસરત્વમપરાળમોહિનામ્ ગતિનાં પ્રસરતા એવા કમળના પરાગ વડે આનંદ પામનારા એવા ભમરાઓને ગરૌ: મુમૈ: વ ૨સ વગરનાં કુસુમ વડે જેમ (અધીરતા નથી) તેમ ગધ્યાત્મસુધાતિહાં સતામ્ અધ્યાત્મરૂપી અમૃતને ચાટતા એવા સત્પુરુષોને મધુરે: રસ: વચન ધીરતા ન મધુર રસો વડે ક્યારેય અધીરતા નથી. 119-9911 શ્લોકાર્થ : પ્રસરતા એવા કમળના પરાગ વડે આનંદ પામનારા એવા ભમરાઓને રસ વગરનાં કુસુમ વડે જેમ અધીરતા નથી, તેમ અધ્યાત્મરૂપી અમૃતને ચાટતા એવા સત્પુરુષોને મધુર રસો વડે ક્યારેય અધીરતા નથી. અર્થાત્ મધુર રસોના સ્મરણને કારણે તેને ગ્રહણ કરવાની ઉત્સુકતા ક્યારેય તેઓને નથી. II૭–૧૧॥
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy