SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ વૈરાગ્યવિષયાધિકાર ચિત્તવાળાને વિકારી થતા નથી, ત્યાં પ્રથમ કર્મેન્દ્રિયના વિષયમાં વિકાર કેમ થતો નથી ? બતાવે છે - सुविशालरसालमञ्जरी-विचरत्कोकिलकाकलीभरैः ।। किमु माद्यति योगिनां मनो, निभृतानाहतनादसादरम् ।।३।। અન્વયાર્ચ : નિમૃતાનીહતનસિદ્ધિ વિનાં મન:નિભૂત=ભરાયેલા, અનાહત નાદના આદરવાળું એવું યોગીઓનું મન સુવિશાતરસન્નમજ્જરીવરત્નાવસ્તીમઃ સુવિશાળ, રસાળ એવી મંજરીમાં વિચરતી એવી કોકિલની કાકલીભર એવી વાણી વડે વિમુ માથતિ શું ઉન્માદને પામે ? અર્થાત્ ન જ પામે. ll૭-૩ યોગીઓનું મન અનાહત નાદથી ભરાયેલું છે. “અનાહત નાદ એટલે અંતરંગ ચિત્તમાં વીતરાગતાનો શ્રેષ્ઠ નાદ સતત ગુંજતો હોય તેવો હણાયા વગરનો નાદ. શ્લોકાર્ચ : ભરાયેલા અનાહત નાદના આદરવાળું એવું યોગીઓનું મન સુવિશાળ, રસાળ એવી મંજરીમાં વિચરતી એવી કોકિલની કાકલીભર એવી વાણી વડે શું ઉન્માદને પામે ? અર્થાત્ ન જ પામે. ll૭-૩ના ભાવાર્થ : યોગીઓ તત્ત્વનું પર્યાલોચન કરવાને કારણે આત્માના વીતરાગભાવ સ્વરૂપ તત્ત્વના મર્મને સૂક્ષ્મ પ્રજ્ઞાથી જોઈ શકતા હોય છે. તેથી તેમના મનમાં વીતરાગતાનો અનાહત નાદ સતત ગુંજારવ કરતો હોય છે. આને કારણે વિશાળ અને રસાળ મંજરી ઉપર વિચરતી કોયલ પોતાની ખુશાલીની અભિવ્યક્તિરૂપે જે મધુર ટહુકાઓ કરતી હોય છે, તેનાથી પણ યોગીઓનું મન આકર્ષાતું નથી, મનમાં ઉન્માદ પેદા થતો નથી. યોગીના અંતરંગ ચિત્તમાં સ્કુરાયમાન થતો વીતરાગતાનો અનાહત નાદ અર્થાતું હણાયા વગરનો સતત નાદ જ, તેમના ચિત્તના આકર્ષણનું સ્થાન છે. આવી ભૂમિકાવાળા યોગીને વિષયવિષયક વૈરાગ્ય છે, પરંતુ ગુણનું અત્યંત આકર્ષણ હોવાથી ગુણવિષયક વૈરાગ્ય નથી. II૭-રા
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy