SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ વૈરાગ્યવિષયાધિકાર LI વૈરાવિષયાધવગર II અવતરણિકા : ચોથા અધિકારમાં ભવસ્વરૂપનું ચિંતવન બતાવ્યું, જેનાથી વૈરાગ્ય પ્રગટી શકે, અને તે વૈરાગ્ય કેવા પ્રકારના જીવમાં સંભવી શકે, તે પાંચમા “વૈરાગ્ય સંભવ” અધિકારમાં બતાવ્યું. તેથી જિજ્ઞાસા થાય છે, તે વૈરાગ્ય એક જ પ્રકારનો છે કે અનેક પ્રકારનો ? તેથી વૈરાગ્યના ભેદોને છઠ્ઠા અધિકારમાં બતાવ્યા. ત્યાં પ્રશ્ન થાય કે, પ્રગટ થયેલ વૈરાગ્ય પણ કયા પ્રકારના વિષયમાં હોય છે ? તેથી વૈરાગ્યના વિષયભૂત એવા પાંચ ઈન્દ્રિયવિષયક અને વૈરાગ્યના વિષયભૂત એવા ગુણવિષયક એમ બે પ્રકારના વૈરાગ્યને હવે બતાવે છે - विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रवर्तते । अपरं प्रथमं प्रकीर्तितं, परमध्यात्मबुधैर्द्वितीयकम् ।।१।। અન્વયાર્ચ - રૂઢ વૈરાગ્યે આ વૈરાગ્ય=પૂર્વના અધિકારમાં વર્ણન કર્યું એ વૈરાગ્ય, વિષપુ ગુજુ ૨ દ્વિઘા વિષયોમાં અને ગુણોમાં એમ બે પ્રકારે મુવિ જગતમાં પ્રવર્તતે વર્તે છે. ૩થ્યાત્મવૃધે અધ્યાત્મબુધો વડે પ્રથમ ૩૬પ દ્વિતીયમ્ પરં પ્રથમ અપરવૈરાગ્ય (અને) બીજો પરવૈરાગ્ય કીર્તિત કહેવાયો છે. ll૭-૧ શ્લોકાર્ચ - પૂર્વના અધિકારમાં વર્ણન કર્યું એ વેરાગ્ય વિષયોમાં અને ગુણોમાં એમ બે પ્રકારે જગતમાં વર્તે છે. અધ્યાત્મબુધો વડે પ્રથમ અપરવૈરાગ્ય અને બીજો પરવૈરાગ્ય કહેવાયો છે. II૭-૧ાા ભાવાર્થ - વિરાગનો ભાવ એ વૈરાગ્ય છે. અર્થાત્ ઈચ્છાના અભાવ સ્વરૂપ જે વિરાગ છે, તેનો ભાવ તે વૈરાગ્ય છે, અને તે વૈરાગ્ય બે પ્રકારનો હોય છે. (૧) પાંચ ઈન્દ્રિયોના વિષયો વિષયક અને (૨) ક્ષાયોપથમિક કે ક્ષાયિક ભાવની લબ્ધિઓ કે જીવના ગુણો વિષયક.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy