SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૨૨૮ તેમાંથી તેઓ ચલાયમાન થતા નથી, પરંતુ સુદૃઢ યત્નથી તેઓ તેની વૃદ્ધિ જ કરતા હોય છે. ત્રીજા પ્રકારના વૈરાગ્યનાં આ પ્રકારનાં લક્ષણોનો સમુદાય છે. ||૬૪૦/૪૧/૪૨/૪૩|| અવતરણિકા : : ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ત્રણમાં મોક્ષનું કારણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બને છે, તથા દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય ક્યારે મોક્ષનું કારણ બને છે અને ક્યારે નથી બનતા, તે બતાવવા કહે છે - ज्ञानगर्भमिहादेयं द्वयोस्तु स्वोपमर्दतः । उपयोगः कदाचित् स्या- त्रिजाध्यात्मप्रसादतः ।। ४४ ।। અન્વયાર્થ : . અહીં=ત્રણ પ્રકારના વૈરાગ્યમાં જ્ઞાનનર્મ સન્દેયં જ્ઞાનગર્ભ આદેય છે. નિનગધ્યાત્મપ્રસાવત: તુ વળી, પોતાનામાં રહેલા અધ્યાત્મના પ્રસાદને કારણે સ્વોપમતઃ પોતાના ઉપમર્દનથી=વિનાશ દ્વારા યોઃ બંનેનો=દુઃખગર્ભિત અને મોહગર્ભિતનો कदाचित् उपयोगः स्यात् ક્યારેક ઉપયોગ થાય=ક્યારેક મોક્ષપ્રાપ્તિમાં કારણ બને છે. 119-8811 શ્લોકાર્થ : ત્રણ પ્રકારના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભ આદેય છે. વળી, પોતાનામાં રહેલા અધ્યાત્મના પ્રસાદને કારણે પોતાના વિનાશ દ્વારા દુઃખગર્ભિત અને મોહગર્ભિતનો ક્યારેક ઉપયોગ થાય=ક્યારેક મોક્ષપ્રાપ્તિમાં કારણ બને છે. ||૬–૪૪][ ભાવાર્થ : જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એકાન્તે મોહના ઉચ્છેદનું કારણ છે. જ્યારે દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય કેટલાક જીવોને સંસારનો ત્યાગ કરાવીને તેનાથી પ્રાપ્ત થતા પુણ્ય દ્વારા સંસારવૃદ્ધિનું જ કારણ બને છે, તેથી દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યનો આત્મહિત સાધવામાં ઉપયોગ નથી. વળી, કેટલાક
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy