SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ વૈરાગ્યભેદાધિકાર ભાવાર્થ : દરેક દ્રવ્યના મુખ્ય બે પર્યાય છે. વચન પર્યાય અને અર્થપર્યાય. કોઇપણ દ્રવ્યને જે જે પદથી ઓળખી શકાય તે દરેક પદો તે દ્રવ્યના વચન પર્યાય છે. આ વચન પર્યાય વ્યંજન પર્યાયરૂપ છે, તથા અર્થપર્યાય એટલે તે પદાર્થમાં વર્તતા ભાવો. જેમ કે ઘટદ્રવ્ય માટે ઘડો, કુંભ, દ્રવ્ય, પુદ્ગલ વગેરે પદો એ તેના વચન પર્યાય છે; અને તે ઘટના રૂપ, રસ, આકાર વગેરે અર્થપર્યાય છે. આ રીતે કોઇપણ દ્રવ્યમાં જે વચન પર્યાયો છે અને જે અર્થપર્યાયો છે; તથા તે સર્વ જે વર્તમાનકાળમાં વર્તી રહ્યા છે, જે ભૂતકાળમાં વર્તતા હતા અને જે ભવિષ્યમાં થનારા છે તે સર્વ પર્યાયોવાળું તે એક દ્રવ્ય છે. આમ, કોઈપણ એક દ્રવ્ય તેના ત્રણેય કાળના વચનપર્યાય અને અર્થપર્યાયવાળું થાય. ll૧-૨all स्यात्सर्वमयमित्येवं, युक्तं स्वपरपर्ययैः । अनुवृत्तिकृतं स्वत्वं, परत्वं व्यतिरेकजम् ।।२४।। અન્વયાર્થ: રૂત્યેવં આ રીતે=પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે વપર : યુ સ્વ-પરપર્યાયથી યુક્ત રસર્વયમ્ ત્િ (એક દ્રવ્ય) સર્વમય થાય. ૩નુવૃત્તિવૃર્ત સ્વતં અનુવૃત્તિકૃત સ્વત્વ છે, તિરેઝ પરત્વે વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું પરત્વ છે. I૬-૨૪ નોંધ : સામ્પત, અનાગત અને અતીતના સર્વ વાણીના પર્યાયો અને સર્વ અર્થના પર્યાયમય એક દ્રવ્ય છે, એમ કહેવાથી અર્થમાં રહેલા સ્વ-પર, એમ બંને પર્યાયનું ગ્રહણ થઇ જાય છે; કેમ કે દરેક પદાર્થો સ્વ-પરપર્યાયમય છે. શ્લોકાર્ચ - પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે સ્વ-પરપર્યાયથી યુક્ત સર્વમય એક દ્રવ્ય થાય, અને અનુવૃત્તિકૃત સ્વત્વ છે, વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું પરત્વ છે. ll૧-૨૪ll ભાવાર્થ : પૂર્વશ્લોકમાં કહ્યું કે ત્રણેય કાળના જેટલા વાણીના પર્યાય છે અને
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy