SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ વૈરાગ્યભેદાધિકાર अनाश्रवफलं ज्ञान-मव्युत्थानमनाश्रवः । सम्यक्त्वं तदभिव्यक्ति-रित्येकत्वविनिश्चयः ।।२०।। અન્વયાર્થ : નાશ્રવણ« જ્ઞાન અનાશ્રવ છે ફળ જેને એવું જ્ઞાન છે, ૩નાશ્રવ:. ૩યુત્યાનમ્ અનાશ્રવ એ અવ્યથાનરૂપ છે. સર્વ તત્ ૩ મિટિ સમ્યક્ત્વ તેની=જ્ઞાનની, અભિવ્યક્તિ છે, કૃતિ વિનિય: એથી કરીને (પૂર્વશ્લોકમાં બતાવેલ સમ્યકત્વ અને મૌનના) એકત્વનો વિનિશ્ચય છે. II૬-૨૦ના શ્લોકાર્ય : અનાશ્રવ છે ફળ જેનું એવું જ્ઞાન છે, અનાશ્રવ એ અવ્યુત્થાનરૂપ છે, સમ્યકત્વ જ્ઞાનની અભિવ્યક્તિ છે, જેથી કરીને પૂર્વશ્લોકમાં બતાવેલ સમ્યકત્વ અને મૌનના એકત્વનો વિનિશ્ચય છે. II૬-૨૦માં ભાવાર્થ - નિશ્ચયનય કાર્યને કરતું હોય તેવા કારણને જ કારણ તરીકે સ્વીકારે છે, અને જે કારણ કાર્ય ન કરે તે કારણ નથી. અને જ્ઞાનનું ફળ વિરતિ છે અને તે વિરતિ અનાશ્રવરૂપ છે, તેથી નિશ્ચયનયની દૃષ્ટિએ અહીં અનાશ્રેવિફળવાળું જ્ઞાન છે એમ કહેલ છે. ત્યાં પ્રશ્ન થાય કે આ અનાશ્રવ શું પદાર્થ છે? તેથી કહે છે કે, આત્માની અવ્યુત્થાન અવસ્થા છે તે જ અનાશ્રવ છે. તે આ રીતે – સંસારી આત્માની બે અવસ્થા છે. (૧) વ્યુત્થાન અવસ્થા અને (૨) અવ્યુત્થાન અવસ્થા. (૧) પહેલી વ્યુત્થાન અવસ્થા, એટલે આત્મા વિશેષરૂપે પોતાના ભાવમાંથી ઉસ્થિત હોય, અથવા પોતાના ભાવમાં ન વર્તતો હોય, ત્યારે આત્માની વ્યુત્થાન અવસ્થા છે. અને તે અવસ્થામાં કર્મબંધ થાય છે, તેથી તે આશ્રવરૂપ છે. (૨) બીજી અવ્યુત્થાન અવસ્થા, એટલે વ્યુત્થાન અવસ્થાથી વિપરીત અવસ્થા. જ્યારે આત્મા પોતાના ભાવોમાં વર્તતો હોય ત્યારે આત્માની અવ્યુત્થાન અવસ્થા છે. સિદ્ધઅવસ્થામાં આત્મા પોતાના ભાવોમાં સ્વભાવથી જ રહે છે, જ્યારે સંસારી અવસ્થામાં ધ્યાનના બળથી રહી શકે છે. તેથી જે સમયે મુનિ ધ્યાન અવસ્થામાં હોય છે ત્યારે તેનાથી સમતા પ્રગટે છે, અને તે સમતાથી વિશેષ
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy