SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ અધ્યાત્મસાર અવતરણિકા – પૂર્વ શ્લોકમાં કહ્યું કે ગૃહસ્થાવસ્થામાં તીર્થંકરપ્રભુને જ્યાં રતિ છે ત્યાં પણ વિરક્તપણું છે, તો પ્રશ્ન થાય કે જ્યાં રતિનો અનુભવ હોય ત્યાં વિરક્તપણું કઈ રીતે હોઈ શકે ? અને વિરક્તપણું હોય તો ત્યાં પ્રવૃત્તિ કેમ હોય? તેથી હવે કહે છે भवेच्छा यस्य विच्छिन्ना, प्रवृत्तिः कर्मभावजा । रतिस्तस्य विरक्तस्य, सर्वत्र शुभवेद्यतः ।।१४।। અન્વયાર્થ : યસ્થ જેની મહેચ્છા વિચ્છિન્ના ભવની ઈચ્છા વિચ્છિન્ન થયેલી છે, વર્નમાવના પ્રવૃત્તિ: (જને) કર્મના ઉદયને કારણે પ્રવૃત્તિ થાય છે વિરસ્ય તરસ્ય વિરક્ત એવા તેને શુમવેદ્યતઃ શુભવેદનીયથી શાતાવેદનીયથી સર્વત્ર રતિઃ સર્વત્ર રતિ (હોય છે.) II૫-૧૪ll શ્લોકાર્ચ ---- જેની ભવની ઈચ્છા વિચ્છિન્ન થયેલી છે, જેને કર્મના ઉદયને કારણે પ્રવૃત્તિ થાય છે, વિરક્ત એવા તેને શતાવેદનીયથી સર્વત્ર રતિ હોય છે.પ-૧૪ ભાવાર્થ : હરેક અવિરત સમ્યગ્દષ્ટિ જીવો દશાવિશેષમાં નથી, પરંતુ તેમને સંસાર નિર્ગુણ અવશ્ય ભાસે છે. છતાં પણ તેઓ જે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે તેને અવલંબીને થતા રાગાદિ ભાવો, કે જે ભવના હેતુ છે, તે તેમના ચિત્તમાં અવશ્ય વર્તતા હોય છે. તેથી હજુ પણ ભવની ઈચ્છા તેમને વિચ્છિન્ન થઈ નથી હોતી. જ્યારે છઠ્ઠી દૃષ્ટિવાળા જીવોને ભવવર્તી તમામ ક્રિયાઓ પ્રત્યે કોઈ ઈચ્છાઓ હોતી નથી, તેથી તેમને ભવની ઈચ્છાનો વિચ્છેદ છે. અહીં પ્રશ્ન થાય કે છઠ્ઠી દૃષ્ટિવાળા જીવોને ભવની ઈચ્છા નથી તો ભોગોમાં પ્રવૃત્તિ કેમ કરે છે ? તેથી કહે છે – જે રીતે અપ્રમત્ત મુનિને સંસારવર્તી કોઈ પ્રવૃત્તિની ઈચ્છા ન હોવા છતાં મોક્ષના સાધનરૂપ શરીરનું પાલન કરે છે, તે જ રીતે યોગની છઠ્ઠી દૃષ્ટિવાળા મહાત્માઓ પણ ભવિષ્યના સંયમને નિરાબાધ કરવા માટે ભોગએકનાશ્ય એવા કર્મના નાશ માટે ભોગપ્રવૃત્તિ કરે છે, અથવા કોઈ વિશેષ લાભ જણાય ત્યારે ભોગમાં પ્રવૃત્તિ કરે છે.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy