SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૩૦ सत्यं चारित्रमोहस्य, महिमा कोप्ययं खलु । यदन्यहेतुयोगेऽपि, फलायोगोऽत्र दृश्यते ।।११।। અન્વયાર્થ રત્યે સાચું છે, ચારિત્રમોહસ્ય (પરંતુ) ચારિત્રમોહનીયકર્મનો કોઈ પણ આ ઐતુ ખરેખર મહિમા મહિમા છે. ચતુયોગેડ િજ કારણથી અન્ય હેતુના યોગમાં પણ ૩ત્ર અહીં સમ્યગ્દષ્ટિ જીવમાં છાયો : (વૈરાગ્ય રૂ૫) ફળનો અયોગ તે દેખાય છે. પ-૧૧ શ્લોકાર્ચ - સાચું છે, પરંતુ ચારિત્રમોહનીયકર્મનો કોઈ પણ આ મહિમા છે, જે કારણથી અન્ય હેતુના યોગમાં પણ સમ્યગ્દષ્ટિ જીવમાં વૈરાગ્યરૂપ ફળનો અયોગ દેખાય છે. આપ-૧૧ાા ભાવાર્થ : પૂર્વશ્લોકમાં ઉદ્ભવેલ શંકાનું સમાધાન કરતાં કહે છે કે, હા, એ વાત સાચી છે કે સમ્યગ્દષ્ટિ જીવને ભવનગુણ્યનું દર્શન છે માટે તેને વૈરાગ્ય હોવો જોઈએ, પરંતુ સાથે સાથે ચારિત્રમોહનીયનો પણ એવો અદ્ભુત મહિમા છે કે, જે કારણથી વૈરાગ્યના અન્ય હેતુરૂપચારિત્રમોહનીયના અભાવથી અન્ય હેતુરૂપ, ભવનેગૃષ્ણના દર્શનનો યોગ હોવા છતાં વૈરાગ્યરૂપ ફળનો સમ્યગ્દષ્ટિ જીવમાં અયોગ છે. તાત્પર્ય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવને શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે જ ભવ અનર્થકારી ભાસે છે, તેથી તેને ભવના હેતુભૂત વિષયોની ઈચ્છા થવી ન જોઈએ; આમ છતાં, સમ્યગ્દષ્ટિ જીવને તીવ્ર ચારિત્રમોહનીયના ઉદયથી વિષયોની ઈચ્છા થાય છે. આનું કારણ એ છે કે અનાદિ કાળથી વિષયોમાં પ્રવૃત્તિ કરવાની જે મનોવૃત્તિ છે, તેના સંસ્કારો તીવ્ર ચારિત્રમોહનીયના ઉદયથી જાગૃત થાય છે, તેથી ભવને નિર્ગુણરૂપે જોવા છતાં ચારિત્રમોહનીયના ઉદયને કારણે અવિરત સમ્યગ્દષ્ટિ જીવ વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. માટે વિષયોની અનિચ્છારૂપ વૈરાગ્ય તેનામાં પ્રગટ થતો નથી. પ-૧૧TI
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy