SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ અધ્યાત્મસાર બનેલા સંસારી જીવો વિષયો મેળવવા રૂપ તૃષાથી પીડિત થાય છે. આવા તૃષાથી આર્ત જીવને આ સ્થિતિમાં પાણીથી ભરપૂર સરોવર મળી જાય તો જેમ શાંતિનો અનુભવ કરે છે, તેમ ભવરૂપી ઉનાળામાં વિષયોના તૃષાતુર જીવને કોઈક રીતે શમપરિણામ પ્રાદુર્ભાવ થાય, તો સંસારમાં પણ કાંઈક પ્રમાણમાં સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે. એ સિવાય સંસારમાં ઉનાળાના તાપને હરવા માટે અન્ય કોઈ શરણ નથી. II૪-૧૩|| ૐ સંસારી જીવોની સ્વાર્થવૃત્તિનું સ્વરૂપ पिता माता भ्राताप्यभिलषितसिद्धावभिमतो । गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् । जना: स्वार्थस्फातावनिशमवदाताशयभृतः । - प्रमाता कः ख्याताविह भवसुखस्यास्तु रसिकः ।।१४।। અન્વયાર્થ : પિતા માતા ભ્રાતા અપિપિતા, માતા, ભાઈ પણ મિષિતસિદ્ધો મિમતઃ સ્વઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ સુધી જ માન્ય છે. धनवान् च गुणग्रामज्ञाता न खलु ઘનવાતા અને ધનવાન માણસ ગુણના સમૂહને જાણનારો હોવા છતાં ધનનો દાતા નથી. નના: સ્વાર્થહાતાનિશમવવાતાશયમૃતઃ લોકો સ્વાર્થની વૃદ્ધિમાં સતત મોટા આશયને ધારણ કરનારા હોય છે. ૐ અહીં મવસુદ્રસ્ય તૌ રસિઃ સંસારના સુખની ખ્યાતિમાં રસિક એવો ઃ કોણ પ્રમાતા તત્ત્વ જોનાર ઞસ્તુ હોય ? (અર્થાત્ કોઈ વિચા૨ક ભવમાં સુખની ખ્યાતિ કરવામાં રસિક ન હોય.) ૪-૧૪|| શ્લોકાર્થ ઃ પિતા, માતા, ભાઈ પણ સ્વઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ સુધી જ માન્ય છે, અને ધનવાન માણસ ગુણના સમૂહને જાણનારો હોવા છતાં ધનનો દાતા નથી. લોકો સ્વાર્થની વૃદ્ધિમાં સતત મોટા આશયને ધારણ કરનારા હોય છે. અહીં સંસારના સુખની ખ્યાતિમાં રસિક એવો કયો વિચારક હોય ? અર્થાત્ કોઈ વિચારક ભવમાં સુખની ખ્યાતિ કરવામાં રસિક ન હોય. II૪-૧૪||
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy