SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ભવસ્વરૂપચિંતાઅધિકાર ઘનમમનવં વન્ધનમવ ધન જાણે અભિનવ બંધન સમાન છે. મહાધ્યાપૂ મદરૂપી ગંદા પદાર્થોથી ભરેલું (અને) વ્યસનવિનસંવિષમ વ્યસનરૂપી બિલના સંસર્ગથી વિષમ એવું મા? રોઈં ભવરૂપી કારાગૃહ છે. તરહ તેથી અહીં=ભવરૂપી જેલમાં વિદુષાર્ થવા ન રતિઃ વિદ્વાનોને ક્યાંય પણ રતિ થતી નથી. I૪-૮ શ્લોકાર્ચ - જેમાં પ્રિયાનો સ્નેહ બેડી સમાન છે, સ્વજનો પહોરે પહોરે બદલાતા પહેરગીર સમાન છે, ધન જાણે અભિનવ બંધન સમાન છે તથા જે મદરૂપી ગંદા પદાર્થોથી ભરેલું છે અને વ્યસનરૂપી બિલના સંસર્ગથી વિષમ છે, એવું ભવરૂપી કારાગૃહ છે. તેથી ભવરૂપી જેલમાં વિદ્વાનોને ક્યાંય પણ રતિ થતી નથી. II૪-૮૫ ભાવાર્થ - જેલના કેદીના બંને હાથે બેડી બાંધેલી હોય છે તથા તેને પોતાને પણ દોરડા કે સાંકળથી બાંધીને ખીલા સાથે બાંધી દેવામાં આવે છે. અને તે કેદી જેલમાંથી ભાગી ન જાય તેનું ધ્યાન રાખવા પ્રહરે પ્રહરે ચોકી કરનારા ભટો રાખવામાં આવે છે. વળી, જેલના ઓરડાઓની ભૂમિ ગંદકીથી ભરપૂર હોય છે, ઠેર ઠેર બિલ-દર જોવા મળે છે, જેમાંથી સાપ-ઉંદરડા વગેરે ગમે ત્યારે નીકળવાનો ભય રહેતો હોય છે, તેથી જ કેદીને ત્યાં ક્યારેય આનંદ હોતો નથી. સંસારમાં પણ ભવ આવો જ કારાગૃહ જેવો છે. પ્રિયાનો સ્નેહ બેડી જેવો છે. વળી, ધન પણ બેડી કરતાં પણ નવું જ બંધન છે. આખા શરીરને જેમ દોરડાથી બાંધવામાં આવે છે, તેમ ધનની આવનજાવનમાં જ જીવ હંમેશાં જકડાયેલો રહે છે. સગાંસ્નેહીઓ તેના પ્રત્યેના સ્નેહની સતત અભિવ્યક્તિ કરતાં રહેતાં હોય છે, જેથી આવા સ્નેહને છોડીને જીવ સંસારમાંથી છટકીને ભાગી ન જાય. સ્નેહરૂપી બંધન તોડવાથી સંસારમાંથી મુક્ત થઈ શકાય તેમ છે. તેથી કેદીને ભાગી જતો અટકાવવા માટે નવા નવા પહેરેગીરો જેવા સ્નેહીજનો સદા હાજર જ હોય છે. આ થઈ બંધનની વાત. હવે કારાગૃહ કેવું છે તે કહે છે. ચારે બાજુ ગંદકીથી ભરપૂર એવા કારાગૃહમાં ઠેર ઠેર બિલો દેખાતાં હોય છે. તેમ જ્યાં આત્મા કેદી તરીકે પુરાયો છે તેવી આ ભવરૂપી જેલમાં પણ હાડકાં, લોહી, માંસ, મદ જેવી અશુચિઓ જ ભરેલી છે. વળી, જેલમાં સાપનાં બિલમાંથી ગમે ત્યારે સર્પ બહાર, આવવાની સંભાવના હોય છે, તેમ આ ભવરૂપી શરીરને કારણે જીવને શારીરિક,
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy