SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ઉપમા : ૪ - સંસાર = પિશાચ ' अविद्यायां रात्रौ चरति वहते मूर्ध्नि विषमं । कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गले ।। महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखा । न विश्वासार्होऽयं भवति भवनक्तञ्चर इति ।।५।। અન્વયાર્થ: વિદ્યાયાં રાત્રી રતિ અવિદ્યારૂપી રાત્રિમાં ચરે છે–ફરે છે, મૂક્તિ વિષમ પાયાનીઘ વદને મસ્તક ઉપર વિષમ એવા કષાયરૂપી સર્પોના સમુદાયને વહન કરે છે, અને ૨ વિષયાસ્થતિ ક્ષિતિ અને ગળામાં વિષયરૂપી હાડકાંને નાખે છે ધારણ કરે છે વસ્મરમુ: મહાષાનું જ્ઞાન પ્રશ્નતિ કામરૂપી વક્રમુખવાળો મહાદોષરૂપી દાંતોને પ્રગટ કરે છે=મહાદોષોરૂપી દાંતો કાઢે છે. ૩યં મવનશ્વર? આ ભવરૂપી પિશાચ ન વિશ્વાસાઈઃ મતિ વિશ્વાસને યોગ્ય નથી. II૪-પા * “તિ’ પાદપૂર્તિ અર્થક છે. શ્લોકાર્ચ - અવિદ્યારૂપી રાત્રિમાં ફરે છે, મસ્તક ઉપર વિષમ એવા કષાયરૂપી સર્પોના સમુદાયને વહન કરે છે, ગળામાં વિષયરૂપી હાડકાંને નાખે છે અને કામરૂપી વક્રમુખવાળો મહાદોષરૂપી દાંતોને પ્રગટ કરે છે એવો આ ભવરૂપી પિશાચ વિશ્વાસને યોગ્ય નથી. II૪-પા ભાવાર્થ : જે રીતે રાત્રિમાં વિચરતા પિશાચને જોઈને જીવ ભયને પામે છે, કેમ કે તેના મસ્તક ઉપર સર્પો હોય છે, ગળામાં હાડકાંની માળા હોય છે તથા તેના વક્ર એવા મુખમાંથી ભયાનક દાંતો બહાર દેખાતા હોય છે; તે રીતે જ સંસારી જીવો અવિદ્યારૂપી અંધકારમાં ભટકતા હોય છે, વિષમ કોટિના કષાયોને વહન કરતા હોય છે, વિષયોની હારમાળાથી ઘેરાયેલા હોય છે તથા કામવૃત્તિરૂપ વક્રમુખમાંથી મહાદોષોના સેવનરૂપ દાંતોને પ્રગટ કરે છે. તેથી સંસારી જીવોનો ભવ તત્ત્વથી પિશાચ જેવો છે, જે તત્ત્વદૃષ્ટિઓને દેખાય છે.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy