SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબોધ ચિંતામણિ [ ૩૯] હે બુદ્ધિમાન ! આવી માયાસ્ત્રીનો આદર કરવાથી અને ભવનો નાશ થાય તેમાં તે કહેવુ જ શું? આ માયા) સ્ત્રીના ભયથી પ્રાયે હું તમારી પાસે રહેતી નથી; ને કિ જો રહું છું તે માત્ર એક છાયાણે રહું છું પણ પ્રગટપણે રહેતી નથી. આ માયાનો જે મેહ નામનો પુત્ર છે તે નિશ્ચે તમારો દ્રોહ કરનારા છે. હે સ્વામી! હું નથી જાણતી કે એના કયા ગુણથી તમે તેના ઉપર રાગી થાઓ છે ? વળી આ માયાએ તમારી બુદ્ધિ નામની સ્ત્રીને વશ કરી છે, તે નિ`ળ મનને મલિન કરનાર દુર્બુદ્ધિનો પણ તમને સ્વીકાર કરવા ઉચિત નથી. સ્ત્રીને વિષે વેરણ તુલ્ય આ માયાનો તમે હજ્જુ પણ ત્યાગ કરશે તે રાહુથી મુક્ત થયેલ ચંદ્રની માફક તમારૂં તેજ તમે ફરીથી પાછું મેળવશે.’ આ પ્રમાણે સમુદ્ધિની શિક્ષારૂપ વાણીથી હંસરાજાને અસર તેા થઇ પણ તે આપદાથી ભય - પામી હાય તેમ અ ક્ષણ પણ સ્થિર રહી નહીં. તેથી મદોન્મત્ત હંસરાજાએ (ફરીથી) અંધકારરૂપ માયાનો સ્વીકાર કરવાથી (રાત્રિને વિષે) મૃણાલીની માફક સત્બુદ્ધિ પ્લાન મુખકમળવાળી થઇ ગઇ. હવે સબુદ્ધિ પુરૂષોની નિંદા અને સ્ત્રીઓની સ્તુતિ કરે છે. પુરૂષ! વચન બેલવામાં કડોર હેાય છે, અને વળી હૃદયમાં નિર્દય હોય છે. જ્યારે તે વધારે ક્રોધાયમાન થયા હોય, ૧ કમલ.
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy