SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૪ ] પ્રબોધ ચિંતામણિ અર્જુનને વિભ્રમને કરતે, પટ્ટહસ્તી ઉપર આરૂઢ થવાથી પરાક્રમ રૂપી વૃક્ષ જેનું પ્રફુલ્લિત થયું છે એ જણાવે અને યુદ્ધની ઈચ્છાથી બીજા સર્વ વ્યાપારને રોકત મેહરાજા રણક્ષેત્રમાં આવ્યા અને કહેવા લાગ્યો કે અરે રે પંડિતે ! તમે નાસી જાઓ અને અધ્યાત્મિક પુરુષ! મારી દષ્ટિને મૂકી ઘો. (અર્થાત્ મારી દૃષ્ટિથી દૂર થાઓ). અરે યુદ્ધાઓ! તમે બીજી દિશામાં ચાલ્યા જાઓ. અરે વિચારવાન પુરુષે ! તમારા પગ સજજ કરે. કેમકે શત્રુઓને ભયંકર અને દવનીતથા રાજાની ભુજાના મદને ભાંગતે અને અંજનના પુંજ જેવી કાંતિવાળે આ મેહરાજા પોતે જ પ્રહાર કરવાને ઉઠે છે.” આ પ્રમાણે બોલતો અને કર દૃષ્ટિથી ત્રણ ભુવનને ભય પમાડ વિકસ્વર રેમવાળો મોહ મહામુનિઓને પણ ક્ષેભને માટે થયો. આ મેહરાજાએ યુદ્ધમાં ઝંપલાવ્યું છતે મનુષ્યો તે દૂર રહ્યા પણ દેને વિશે પણ એ કેઈ ન રહ્યો કે જે પીંપળાના પાનની માફક કંપાયમાન થયો ન હોય. એ અવસરે સત્સમાગમ રૂપ અતિ ઉંચા મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થયેલે કેઈ પણ જાતના કલેશરહિત શુકલધ્યાનના ભેદરૂપ આયુધની શ્રેણીને નચાવતે નવી પરણેલી (સંયમશ્રી)પત્નીથી પગલે પગલે જાગ્રત કરતે અને યુદ્ધને કૌતુકી (અદ્વિતીય) વીર એ વિવેકરાજા મેહની સન્મુખ આવ્યું, તે વખતે મેહરાજા તેને કહેવા લાગે કે “હે વિવેક ! તું પુષ્ટ થયેલે છે માટે અહીંથી સત્વર ચાલ્યો જા. કેમકે પાછળથી પાછા જવા ધારીશ ત્યારે તું જવાને સમર્થ થઈ શકીશ નહીં (માટે પહેલેથી જ
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy