SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાધ ચિંતામણિ [ ૨૩૧ ] પછી ભવિરાગ સુભટને ત્રાસ પમાડવા માટે કામ અકસ્માત પુરુષ, સ્ત્રી અને નપુસક વેદ વડે ત્રણ રૂપ ધારણ કરવાવાળા થયા. તેના રૂપનું બહુપણું દેખીને પણ ભવિરાગ ત્રાસ પામ્યા નહીં, કેમકે અગ્નિના કણીયા વધારે દેખીને પણ શું મહાન મેઘ તેનાથી શંકા પામે છે ? [અર્થાત્ અગ્નિના નાશ કરવામાં વરસાદ શકાતાજ નથી.] ભવિવરાગ કામને કહેવા લાગ્યા કે અરે મૂઢ ! વધારે રૂપ રીને શુ તું મને ખીવરાવે છે ?' એ પ્રમાણે ખેલતા નિર્દય થયેલા ભવવિરાગે કામનાં છેલ્લાં બે રૂપ (સ્ત્રીવેદ અને નપુસકવેદ) એકદમ ઢી નાંખ્યાં. તે અવસરે અન્યત્વ ચિંતારૂપ (દેહ જુદો છે અને આત્મા જુદો છે. દેહ વિનાશી ધમ વાળા છે અને આત્મા અવિનાશી ધર્મવાળા છે એ આર્દિવિચારરૂપ) ભાલા સહિત ઉદાસીનતારૂપ હાથી ઉપર બેઠેલા તે (ભવિવરાગ)ના બે નાના ભાઇ સવેગ અને નિવેદ (સંગ્રામ કરવાને) દોડયા. તેઓએ હાસ્ય, રતિ, અતિ, ભય, જુગુપ્સા અને શાક સહિત રાગદ્વેષને મારીને સંગ્રામમાં તત્કાળ દિશાઓને બલિદાન કર્યું... (અર્થાત્ મરણને શરણુ કર્યા). પછી વ્યાઘ્ર (શિકારી) જેમ મૃગને વધ કરે તેમ ફ્રીને શત્રુને નાશ કરવામાં આસક્ત થયેલા ભવિરાગે કામના પહેલા રૂપ (પુરુષવેદ)ને પણુ વધ કર્યાં. પછી રણક્ષેત્રમાં (બાકી કાણુ રહ્યુ છે તેની) તપાસ કરતાં શમાદિ સુભટોએ) પેાતાની પાસે એક એક શાખાવાળા વૃક્ષની માફક એક એક રૂપવાળા ક્રોધાદિકને જોયા, એટલે તેઓએ (શમાદિ ત્રણ સુભટોએ) તે (ક્રોધાદ્રિક ત્રણ)ના
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy