SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૪ ] પ્રબોધ ચિંતામણિ ધારણ કરતા લાલ કહેવા લાગ્યા કે હું એકલે પણ આ ત્રણ ભુવનને પરવશ કરવાને (અથવા મારે આધીન કરવાને) સમ છું. હે દેવપ્રમુખ! તમે સર્વ સાંભળે. હું હાથ ઉંચા કરીને કહું છું કે એવા કોઈપણ જીવ શુ કાઈ ઠેકાણે છે કે જે મારે આધીન થયેા નથી ? પર્વત ઉપર ચઢવું, સ્થળ (અટવી વિગેરે) અને સમુદ્ર ઓળ’ગવા, પૃથ્વીનું વિદ્વારણ કરવું (ખાઢવુ), ગુફામાં પ્રવેશ કરવા, શ્મશાનમાં રહેવુ, મંત્રાદિ સાધવું, જનાવરનુ પાલન કરવુ, ખેતી કરવી, અને ક્ષુધા તૃષા, શીત, . આતપાદિ સહન કરવાં—ઇત્યાદ્રિ દુષ્કર કાર્યો પણ મે આદેશ કરેલા પ્રાણીએ શું અંગીકાર કરતા નથી ? (અર્થાત્ સ કાર્યાં અંગીકાર કરે છે ). મહાર'ભ, મમત્વ, ઇચ્છા, મૂર્છા (આસક્તિ), સ’કલેશ, સંચય, કૃપણુતા અને સાહસિકતા આદિ મારા અતર`ગ સેવકો છે. અને તિલકશ્રેષ્ઠી, કુચિકણ વ્યવહારી, કેશરી ચાર, નંદરાજા, સુભૂમ ચક્રવતી અને લેાભન’દિવણિક આદિ મારા બાહ્ય સેવકો પણ હજારા છે.” હવે પ્રદ કહેવા લાગ્યું કે “મારું તે લેાકેાત્તર મળ છે (અર્થાત્ મારા જેવું ખળ ખીજા કેાઈમાં નથી). કેમકે ઉચ્ચપદમાં આરૂઢ થયેલા મનુષ્યને હું એક ક્ષણવારમાં નીચે (અધેતિમાં) પાડી દઉં છું. જેઓ શ્રુતકેવળી (ચૌદપૂર્વધર), ઉપશાંત મેાડુ (અગ્યારમે) ગુણઠાણે ચડેલા અને ચાર જ્ઞાનના ધરનારા છે તેઓને પણ હું નિંગાદરૂપ ખાડામાં અનંતે કાળ વસાવુ છું. મેં આદેશ કરેલા જીવ ?
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy