SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] પ્રબંધ ચિંતામણિ આનંદ પામ્યા). પછી ઊર્વ દિશામાં બાણનું સંધાન કરીને અને પ્રાણીઓના હિતની ઈચ્છાથી ભૂમિ તરફ દૃષ્ટિ સ્થાપન કરીને ચકની ભ્રમી (ભમવાપણા)ને જેતે છતો ઘણા વખત સુધી તે સ્થિર ઉભે રહ્યો. ત્યારપછી યુદ્ધ કરવામાં ચતુર અને સાહસિક વિવેકે ચકસમૂહના વિવરમાંથી (રાધાને વીંધવાને) અવસર જાણીને દીર્ધતારૂપ બાણવડે અકસ્માતું રાધાને વીંધી, નાખી, અર્થાત્ રાધાવેધ કર્યો. (તે વખતે) જય જય શબ્દો કરતા ઇંદ્રોએ વિવેકના મસ્તક ઉપર તેના યશરૂપ નિર્મળ પુપિની વૃષ્ટિ કરી (અર્થાત્ સવે વિવેકને યશવાદ બોલવા લાગ્યા. વર્ષાઋતુના મેઘના યાણુથી તૃપ્ત થયેલ વૃક્ષની માફક જોવામાં તત્પર રહેલા નગરના લોકો પણ પરમ આનંદ પામ્યા. તે વખતે મેરની કલગીની સખી સરખી સર્વ સંગના પરિત્યાગરૂ૫ વાણીને સાધુઓમાં શ્રેષ્ઠ વિવેક પિતાને મુખે સુખપૂર્વક અંગીકાર કરી. (અર્થાત્ “હું સર્વ સંગને ત્યાગ કરૂં છું, એમ વિવેકે પિતાના મુખે પ્રતિજ્ઞા કરી.) તેની વીરવૃત્તિ જોઈ પ્રબળ ઉત્સુક થરેલી સંયમશ્રીએ નજીક આવીને તેના કંઠમાં વરમાળા નાખી (અર્થાત વિવેકે સંયમ (ચારિત્ર અંગીકાર કર્યું છે. મનુષ્ય અને દેવાની સ્ત્રીઓએ કીર્તિના સમૂડને ધવલ મંગળવડે ગાયે છતે, વિશ્વવ્યાપી ત્રસ અને થાવર જી સંબંધી અભય પડહ ઘેષિત કર્યો છે, આ બેઉ જુદા ન પડે એવી બુદ્ધિથી ચિત્તરૂપી વસ્ત્રથી સંયમશ્રીને વિવેકને આપસમાં સંબંધિત કર્યો અને પુરેહિતે ગુણરૂપી આહુતીવડે અગ્નિની જવાળા વધાર્યો છતે ઘણા
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy