SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ચિંતામણિ [ ૧૮૭ ] માફક આચરણ કરે છે. સુધાથી પેદા થયેલું દુબળાપણું, કુત્સિત અનાજનું ખાવું, ટાઢ તાપ સહન કરવા, વાળનું બરસટણ પણું અને કેવળ પૃથ્વીતળ ઉપર શયન કરવું આ સર્વ વસ્તુઓ ગૃહસ્થાશ્રમમાં અવનતિ બતાવે છે, અને તેજ વસ્તુઓ સંયમમાં ( સાધુપણાને વિષે ડંસત કરે છે. માટેજ યોગ્ય પદે જોડવાથી દોષે પણ મનુષ્યને ગુણરૂપ થાય છે. વળી આ સંઘમશ્રી સ્નાન કર્યા વિના વિશુદ્ધ શરીરવાળી છે, આભૂષણ વિના મનોહર છે, આહાર વિના બળવાન અને વસ્ત્ર વિના પણ સારી રીતે ઢંકાયેલી છે. છે. એકાંત વિના આલિંગન કરવાવાળી, મેહ ઉત્પન્ન કર્યા વિના સુખ દેવાવાળી, વાહન વિના સાથે ચાલનારી અને પ્રાર્થના કર્યા વિના પ્રીતિ ઉત્પન્ન કરનારી છે. તે દેવ, દેવેંદ્ર અને ઉપેદ્રની ઈચ્છાવાળી નથી, પણ ગુણના આગ્રહવાળી (ગુણાનુરાગીરહેવાથી શુદ્ધ આશય (પરિણામ) વાળાને વિષેજ આસક્ત થાય છે. એટલા માટે બીજી સર્વ સ્ત્રીઓ કરતાં આ (સંયમશ્રી) પિતાના લક્ષણવડે જુદાજ સ્વભાવવાળી છે. આની સાથે લેકેન્સર (ઉત્તમ) આચાર વિના કેઈપણ સંબંધ કરવાને લાયક નથી. આણે (સંયમશ્રીએ) પહેલાં પ્રતિજ્ઞા કરી છે કે “જે પુરુષ મોઢેથી અગ્નિની જ્વાળાને પતે રાધાવેધ કરે તે મારી ઈચ્છા કરે' (અર્થાત્ તેની સાથે હું પરણીશ). માટે હે વિવેક ! તને વરવાના આગ્રહવાળી અહીં આવેલી આ સંયમશ્રીને
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy