SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૪ પ્રબંધ ચિંતામણિ રમાં સુખ કયાંથી હોય? જેને માથે શત્રુ હોય છતાં જે મૂઢ પ્રાણીઓ સુખે નિદ્રાએ સુવે છે તેઓ ઘરની અંદર આગ લાગ્યા છતાં સુઈ રહેનારની માફક મરેલાજ સમજવા. હે મિત્ર ! આ શુદ્ર (નાનો) છે એમ વિચારીને શત્રુનો તું વિશ્વાસ કરીશ નહીં. કેમકે મચ્છર નાના શરીરવાળે હોવા છતાં પણ મોટા હાથીને મારી નાખે છે, તેથી નાના સરખા શત્રુની થોડી પણ ઉપેક્ષા સર્વ વસ્તુના નાશ કરવાવાળી થાય છે. જુઓ, એક નાના પણ વૃક્ષને અંકુરે કાળાંતરે શું મેટા મહેલનો નાશ નથી કરતે ? કરે છે. દુઃખી અવસ્થામાં આવી પડેલા શત્રુની પણ વિદ્વાન પુરુએ શંકા - રાખવી. કેમકે પત્થરથી ચૂર્ણ કરાએલું ઝેર પણ પ્રાણનો નાશ કરે છેજ. કેટલાએક સંતે પણ કેઈ કેઈ ઠેકાણે કહે છે કે જેને અપ્રિય છું તેમાં પણ તે (વિવેક)ની સાથે મળી જવાથી ગૂઢ પરાક્રમવાળા થશે. શૂરવીર પુરુષ તે દૂર રહો પણ જેમ ઘણા તાંતણાના અમૂડવાળા વસ્ત્રમાં વણાયેલા વાળ દુઃખે ગ્રહણ કરાય છે તેમ અ૫ પરાક્રમવાળે પણ ઘણુની સાથે મળવાથી દુઃખે શ્રગ કરી શકાય છે. તેથી આ વવેક કદાચિત પ્રવચન નામના નગરમાં ગમે તે પછી ગુફાની અંદર રહેલા સિંહની માફક કયા પુરુષથી તે ગ્રહણ કરી શકાશે ? અર્થાત્ તેને કોઈ પણ પકડી શકશે નહીં. કદાચિત્ તે (પ્રવચન) નગરના સ્વામી અ“તના કહેવા મુજબ તે ચાલશે તે પછી અમૃત પીધેલા દત્યની માફક તેને કોણ મારી શકશે? અર્થાત્ કે ઈ મારી શકશે નહીં. “શત્રુને પિતાના હાથે મરવા એજ શ્રેષ છે
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy