SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ જીવિતને ધિક્કાર છે! ૧૫ હે જીવ! આ જીવિત વીજળીની જેવું ચપળ છે, સ્ત્રી પુત્રાદિના સંગે સ્વપ્નની જેવા અસત્ય છે, સ્નેહ સંધ્યા સમયના રંગ જેવો અપ કાળ રહેનાર છે, અને શરીર તૃણના અગ્રભાગપર રહેલા જળના બિંદુની જેવું અસ્થિર છે. કામભેગે ઇન્દ્રધનુષ્યની જેવા છે, સંપત્તિઓ વાદળાં જેવી છે, અને યુવાવસ્થા જળની રેખા સમાન છે. આ સર્વે અનિત્ય પદાર્થો છે. ૧૫-૧૫ર પોતાની સમાન વયવાળા મનુષ્યને મૃત્યુ પિતાને આધીન કરે છે, તે જોઈને પણ કોઈ એ પુરૂષ દેખાતો નથી કે જે પોતાના આત્મહિતમાં લેશે પણ પ્રવર્તતે હેય. ૧૫૩. શરીર, જે પુરૂષને શ્રુતજ્ઞાનને સમાગમહેય તે ક વિદ્વાન પુરૂષ સર્વ અશુચિનાં સ્થાન રૂપ, નાશવંત અને વ્યાધિવડે પીડાયેલા આ શરીર ઉપરે રતિ પ્રીતિને પામે. ? ૧૫૪ આ શરીર કે જેનું ભજન, વસ્ત્ર વિગેરેવડે ચિરકાળ સુધી પોષણ કરવામાં આવે છે, તો પણ છેવટવૃદ્ધાવસ્થામાં વિકારને પામે છે, તે આવી પદગળિક બાહ્ય વસ્તુઓ ઉપર શી શ્રદ્ધા-શે વિશ્વાસ રાખવે ? ૧૫૫ હે જીવ! તું બધુ એની સાથે પરભવમાંથી અહીં આર્યો નથી, અને તે બંધુઓની સાથે જવાને નથી, તો પછી મઢ ચિત્તવાળા પુરૂષોને સ્વજનની સાથે જે સ્નેહ બંધાય છે તે વૃથા છે. ૧૫૬ હે પંડિત પ્રાણેને ધારણ કરનાર પ્રાણુ જે જે જન્મ ધારણ કરે છે, તે તે અવશ્ય મરણ પણુ પામેજ છે, તેથી કરીને કઈ બધુજન મૃત્યુ પામે તો તેમાં તમે કોઈ પણ શોક કરે નહીં. ૧૫૭ જે પુરૂષ જ્ઞાનાદિક આત્માના કાર્યને છાડીને અન્ય શરીરાદિક પદુગલિક કાર્યમાં આસકત થાય છે, તેનું ચિત્ત સી પુત્રાદિકને વિષે મમતા કરવામાં આસક્ત હોય છે, તેથી તે આત્માના હિતથી ભ્રષ્ટ થાય છે-ચૂક છે.૧૫૮ આત્મહિત. સર્વજ્ઞ ભગવાન કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણું એ સર્વ આત્માનું હિત કહેવાય છે. ૧૫
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy