SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧ ] પહેલા છે. તે કળશમાં કાળ, મહાકાળ, વેલ અને પ્રભંજન દેવનો નિવાસ છે. (તે તેના અધિષ્ઠાતા છે.) મધ્યમાં એક લાખ જન (પેટાળે) છે. ઉંડાઇના લાખ જનના ત્રણ ભાગ કરતાં નીચેના ત્રીજા ભાગમાં માત્ર વાયુ, મધ્યના ત્રીજા ભાગમાં વાયુ ને જળ -મિશ્ર) અને ઉપરના ત્રીજા ભાગમાં માત્ર જળ છે. મોટા અલિજર (ખાડા) ની આકૃતિવાળા છે. બીજા ક્ષુલ્લક (નાના) પાતાળકળશાઓ છે. તે હજાર જન ઉંડા તથા વચ્ચે પહોળા, મુખે ને તળે સો યોજન પહોળા ને દશ એજનની ઠીકરીવાળા છે. તે પણ મુખ્યકળશની જેવા ત્રણ ભાગવાળા છે. આ નાના કળશની મોટા કળશના આંતરામાં નવ નવ પંક્તિઓ છે. નવપક્તિમાં મળીને એકેક દિશાએ ૧૯૭૧ હોવાથી ચારે દિશાના મળીને ૭૮૮૪ નાના પાતાળકળશાઓ છે. એની શિખા ઉપર થતી વૃદ્ધિને અટકાવવા માટે અંદરની બાજુ ૪ર૦૦૦, ઉપર ૬૦૦૦૦ ને ધાતકીખંડ તરફ ૭૨૦૦૦ નાગકુમાર જાતિના દેવો કાયમ રહેલા છે. એકંદર ૧૭૪૦૦૦ દે છે. તે વેલંધર દેવ કહેવાય છે. તેના સ્તૂપ, ઉકાભાસ, શંખ ને ઉદકસીમ નામના ચાર વેલંધર પર્વત લવણસમુદ્રમાં છે. તે કનક, અંક, રજત ને સ્ફટિકમય છે. તેના સ્વામી ગોત્પ, શિવક, શંખ ને મને હદ નામના દે છે. જંબુદ્વીપની જગતીથી ૪૨૦૦૦ એજન જઈએ ત્યાં લવણસમુદ્રમાં તે પર્વતે આવેલા છે. તે ૧૭૨૧ યેાજન ઉંચા છે. નીચે ૧૦૨૨ યોજન પહોળા છે, ઉપર ૪૨૪ યોજન પહોળા છે. (મધ્યમાં ૭૨૩ યોજના પહેલા છે.) તેની ઉપર હિમવાનું પર્વત ઉપર છે તેવા પ્રાસાદે છે. બીજા અનુસંધર દેવના કર્કોટક, કાર્રમક, કૈલાસ ને
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy