SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અંબાર જેવી કન્યા અને દિવ્ય વસ્ત્રાભૂષણ આપું.” જેથી મને રાજા અને મંત્રી વિગેરેના પરિચયને લાભ મળે અને આમંત્રણ પણ ફળે. માટે તમે શીઘ્રતાથી પ્રયાણ કરી, રાજાને મંત્રી પરિવાર સાથે મેકલે એમ કહીને મને વિસર્જન કર્યો, આપને લેવા અને મને માર્ગ બતાવવા આ દ્વારપાળને સાથે મેક છે. જે પ્રમાણે હરિબલ બોલ્યું તે પ્રમાણે દેવ પણ બેલ્યો તે સાંભળી રાજાદિ સર્વ માણસેએ એ વાત સાચી માની. આમ તે દંભ ઘણું જ કરી જાણે છે. પણ યુક્તિપૂર્વક કરેલા દંભને અંત બ્રહ્મા પણ પામતા નથી. . હવે રાજા લલના અને લક્ષ્મીને લેભથી વિલંબને સહવા સમર્થ ન હોવાથી હરિબલને કહેવા લાગ્યું, “હે ભાગ્યશાળી ! યમપુરી જેવા તેમજ મારા: પ્રિય મિત્ર યમરાજને મળવા મારું મન અતિ ઉત્સુક છે માટે નગર બહાર મોટી ચિંતા કરાવે જેથી હું તેની પાસે શીધ્ર પહોંચું ? હરિબલે સાક્ષાત્ ચંડિકા જેવી ચિતા કરાવી. અહીં નગરજનેએ સાંભળ્યું કે રાજા પરિવાર સાથે ચિતામાં પ્રવેશી યમપુરીની સમૃદ્ધિ અને સુખ લેવા જાય છે. માટે આપણે “પણ સાથે સાથે જઈએ જેથી કરીને આપણી દરિદ્રતા નાશ પામે પછી પિતાના પરિવાર અને પરજનથી વીંટળાયેલે રાજા ધામધૂમપૂર્વક નગર બહાર આવ્યું અને સકલ શહેરી સાથે અગ્નિમાં પડવા લાગ્યા, ત્યાં હરિબલે વિચાર્યું કે મેં મૂર્ખાએ આ શું આદર્યું છે? નિરપરાધી પચેન્દ્રિય જીવોના વધથી જીવ નરકે જાય છે. એ પ્રમાણે વિચારી હરિબલે રાજાને કહ્યું, “હે રાજન્ ! તમે ઉત્સુક્તા ન કરે, અગર
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy