SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળ ઊર્ધ્વ આકાશમાં આધાર વગર રહેલા ફળફૂલથી ફૂલેલા વૃક્ષે માનવ માત્રના મનમાં અચંબો ઉત્પન્ન કરનાર નથી શું? કઈ કહેતું કે પૂર્વના પ્રબળ પુણ્યના ઉદયથીજ આ ઉદ્યાનના ફળને પ્રાણી માત્ર પ્રાપ્ત કરી શકે અન્યથા નહીં, આ પ્રમાણે લેકેન વિવિધ વાર્તાલાપ સાંભબતે પોતાની ભાર્યા આરામશોભા સાથે હર્ષિત હૃદયવાળે જિતશત્રુ ભૂપતિ પોતાના મહેલમાં આવ્યું. દિવ્ય પ્રભાવવાળું દેવતાથી નિમિતે તે ઉદ્યાન પણ રાજાના ભવન ઉપરા આકાશમાં સ્થિર થઈને રહ્યું. પિતાની પ્રિયા આરામશોભા સાથે ભેગ ભેગવતાં રાજાએ કેટલેક કાળ લીલા માત્રમાં નિર્ગમન કર્યો. અહીં અગ્નિશર્મા વિપ્રની નવ પરિણીત પત્નિએ એક પુત્રીને જન્મ આપ્યું. અને તે શુકલપક્ષના ચંદ્રમાની પિઠે વૃદ્ધિ પામતી અનુક્રમે યુવાવસ્થાને પામી, ત્યારે તેની માતા વિચાર કરવા લાગી કે આ આરામશોભા અવસાન પામે તે તેની બહેન જાણીને તેનામાં આસક્ત મનવાળો જિતશત્રુ રાજા મારી પુત્રીને પરણે. માટે શકય સરખી શયની પુત્રીને કેઈપણ ઉપાયથી મારી નાખું, એમ વિચારી તેણે પોતાના પતિને કહ્યું કે, “હે સ્વામિન ! મારૂં એક વચન સાંભળે. આપણે આપણી પુત્રી આરામશોભાને માટે કદી પણ માદક પ્રમુખ મિષ્ટાન્ન વિગેરે કાંઈ પણ વસ્તુ મેકલી નથી! ત્યારે અગ્નિશર્માએ કહ્યું કે હે ભદ્ર, આપણું પુત્રીને કશી કમી નથી. તેના પુણ્ય પ્રભાવથી હંમેશ કપૂરના કેગળા કરે છે! તે સાંભળી સ્ત્રીએ કહ્યું, “હે પ્રાણનાથ ! આપ યોગ્ય કહે છે, પણ માતાપિતાની થેલી વસ્તુ પણ ત્રાદ્ધિવાળી પુત્રી સદંતર ઈરછે છે માટે મોદક જેવી કાંઈ પણ ખાવાની વસ્તુ
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy