SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ ત્સવપૂર્વક તેનું “દામન્નક એવું નામ રાખ્યું. લાલનપાલન કરાતા તે ક્રમશઃ આઠ વર્ષને થયે. એવામાં અચાનક તે શ્રેણીના ઘરમાં મહામારી (મરકી) રિગ ફેલાયે. તેના સબળ સકંજામાં સપડાયેલા સર્વે કમશઃ મૃત્યુને ભેટ્યાં. કેવળ “દામનક’ પુણ્યપસાથે જીવતો રહ્યો. નિરાધાર તે બાળક પિતાના ઘરેથી નીકળી સાગરપિત શ્રેષ્ઠીને ઘરે ગયે. તે શેઠે તેને પુત્રની પેઠે રાખ્યા. “દામન્નક’ પણ ત્યાં સુખે રહેવા લાગે. એક વખત તે શ્રેષ્ઠીના ઘરે બે જિનકલ્પી મુનિમહારાજ ભિક્ષા માટે પધાર્યા, તેમાંથી એક વૃદ્ધ સાધુએ તે બાળકને જોઈ લઘુ સાધુને કહ્યું કે ચક્કસ આ ઘરને અધિપતિ આ બાળક થશે. મુનિના આવાં વચન સાંભળી ખેદ પામેલે શ્રેષ્ઠી ચિંતા કરવા લાગે. અરે, ગુણવાન અને વિદ્યાવાન મારા પુત્રના હોવા છતાં અપર કુળમાં જન્મેલે આ દામન્નક ઘરને માલિક શી રીતે થશે? જે આ મારા ઘરને માલિક થાય તે મારું આ વિશાળ કુળ નાશ જ પામેને ? માટે કેઈપણ ઉપાયથી આ બાળકનું મૃત્યુ નિપજાવવું જોઈએ, એમ વિચારી શેઠે બાળકને કઈ ચાંડાલને સેં. ચાંડાલ પણ તે બાળકને દૂર લઈ જઈ સુલક્ષણે અને પ્રસન્ન સ્વરૂપવાળે જાણી દયાથી ચિતવવા લાગેઃ “અહે! આ સુંદર બાળકે તે શેઠને શે અપરાધ કર્યો હશે કે જેથી તે આને મારવા તૈયાર થયું છે. ધિક્કાર છે તે નિર્દય શેઠને આ નિરાધાર બાળકની હું કઈ પણ રીતે હત્યા નહીં કરું.
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy