SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ તથા જે થવાનું છે તે પ્રયત્ન વિના થઈ જાય છે. અને જેની ભવિતવ્યતા નથી રહેતી તે હાથમાં આવીને પણ નાશ પામે છે. માટે મુખલીપુત્ર ગોશાળાને ધર્મ સુંદર છે. અને શ્રી વર્ધમાનપ્રણિત ધર્મ સારે નથી. ઈત્યાદિ તે દેવતાએ વીર ધર્મની નિંદા અને શાળા ધર્મની પ્રશંસા કરી. ઇત્યાદિ દેવોના વચન સાંભળી જિનવચનમાં અપૂર્વ શ્રદ્ધા રાખનાર કુંડલિક બોલ્યો, “હે દેવ તારું કહેવું યુક્તિયુક્ત નથી, કેમકે ઉત્થાનાદિ વિના કાર્યસિદ્ધિ થતી નથી, જે પુરુષાકારાદિ વિના કાર્યસિદ્ધિ થતી હોય તે તે દેવરિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? જે સંયમાદિ રહિત લેકે દેવરિદ્ધિ પામે તે સંસારમાં રહેલા સર્વ જીવો દેવસમૃદ્ધિ ચુક્ત થઈ જાય. અહીં એક જીવ સુખી ત્યારે બીજો અત્યંત દુઃખી જણાય છે તેનું શું કારણ છે? જે બધા ભાવે નિજ સ્વરૂપે થાય તે નિશ્ચય તેનું પર્યાયથી પરાવર્તન પણ થાય. તે પણ ભવાંતરમાં ઉગ્ર તપ, સંયમ આદિ કર્યા હશે. તેથી જ તું દેવપણું પામ્યો છે. માટે તારું બધું કહેવું મિથ્યા છે. જિનપ્રણીત ધર્મ સત્ય તત્ત્વરૂપ છે. ગશાળાને ધર્મ અસત્યરૂપ જાણવું જોઈએ. વળી હે દેવ ! તું બુદ્ધિમાન છે. માટે તું પિતાની બુદ્ધિથી જ ધર્મની સત્યતા અને અસત્યતાને વિચાર કર કહ્યું છે કે – बुध्धेः फलं तत्त्वविचारणं च । देहस्य सारं व्रतधारणं च ।। अर्थस्य सारं किल पात्रदानं, वाचः फलं प्रीतिकरं नराणाम् ॥१॥
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy