SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ માર્યો. જ્યારે તે મૃત:પ્રાય થઈ ગયે ત્યારે તેને પુરુષરૂપે કરી છેડી મૂક્યું. પછી અનેક ઉપચારથી તે પાછો સુંદર શરીરવાળે થઈ ગયે. એકાદ મહિના પછી તેણે ફરી કહ્યું, “હે ભદ્રે ! સુંદરીને ઘેર જાઉં છું. ઘણા દિવસથી નથી ગયે, તે બિચારી ચિંતા કરતી હશે. માટે તું ભાથું કરી આપ.” તે દુષ્ટાએ પણ તેને મંત્રિત કરે આપે. તે લઈ સૂર ચાલ્યો. માર્ગ કાપી ફરી તે એજ નદીકિનારે આવ્યું અને ભોજન કરવા બેઠે. એટલામાં કઈ વિશાળ જટાધારી સંન્યાસી ત્યાં આવી બોલ્યા, “હે સત્પરુષ! બે દિવસને ભૂખ્ય છું માટે મને ભેજન કરાવ. તેથી તેણે પણ દયાની લાગણીથી બધો કરે છે તેને આપી દીધું. સંન્યાસીએ તે ખાધે કે તરત જ તે ગધેડો બની ગયે. તે જોઈ સૂર તેના પર ચડી બેઠે. ગધેડે પણ સીધે ચતુરાના ઘેર આવી પહોંચ્યો. ત્યાં સૂર ગધેડા પરથી ઊતરી સ્ત્રીચરિત્ર જોવા એક ખાલી કોઠીમાં સંતાઈ ગયે. . - ગધેડાને જોઈ કેય પામેલી ચતુરાએ તેને બાંધ્યો અને ચામડાના ચાબૂક વડે મારવા લાગી. મારથી પિડાતે ગધેડો જોર જોરથી ભૂંકવા લાગે. ચતુરા મારતી જતી અને સાથે આમ બોલતી હતી. “બાપડાને સુંદરી બહુ સુંદર લાગે છે, કેમ? હવે જઈશ ત્યાં? લઈશ સુંદરીનું નામ? કાં, લેને ! ચાખ સુંદરીને સ્વાદ.” અત્યંત માર પડવાથી ગધેડે મરવા. જે થઈ ગયે. તે બેલીઃ “કાં, બાયલા ! ધરાઈ ગયે ? જે હવે, લેતે નહીં સુંદરીનું નામ, નહીં તે આ વખતે. તને કોઈ છોડાવવા સમર્થ નહિ થાય.” એમ કહી તેને
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy