SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ એક વખત શ્રી વર્દમાનસ્વામી તે કષ્ટયક્ષના મંદિરમાં સમવસર્યા દેવેએ સમવસરણ રચ્યું. પર્ષદા એકત્રિત થઈ. પ્રભુનું આગમન સાંભળી ચલણી પિતા પણ પરિવારથી. પરિવરેલે પ્રભુને વાંદવા ત્યાં આવ્યો. વિધિપૂર્વક વાંદીને તે. રોગ્ય સ્થાને બેઠે. પ્રભુએ મેઘનાદે દેશના આપી કે, “હે ભવ્યજી ! બાન્ધવ, ધન ભવન, યૌવન, પ્રમદા અને આ શરીર આદિ સર્વ પદાર્થને વિનશ્વર જાણે તમે જિનધર્મનું આરાધન કરો, તે સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારે છે. તે ધર્મ આલેકમાં અને પરલોકમાં સુખનું સાધન થાય છે. જે પ્રાણી જિનધર્મ રૂપ અમૃતથી સ્નાન કરે છે તે પાપરૂપી અત્યંત મેલથી ખરડાયેલે છતાં સહઅમલની. માફક શુદ્ધ થાય છે.” પછી ગૌતમ સ્વામી બોલ્યા, “હે. જિનશ્રેણ! તે સહસમલ કણ હતો? વળી પાપપંકથી મલિન હોવા છતાં શી રીતે શુદ્ધ થયે?” તે સાંભળી જગબાંધવ. બેલ્યા, “હે ગૌતમ સાંભળઃ– “ સહસ્ત્રમલ”ની કથા – વત્સ દેશના ભૂષણ જેવી કૌશંબી નગરી છે. પૂર્વે ત્યાં સહઅમલ નામને વણિક વસતા હતા. તે દરેકને છેતરવામાં તત્પર રહેતે, તે સાતે વ્યસનને સેવનારે, મિથ્યાવાદી, દુનિયાનું અહિત કરવાની આશાવાળે દુષ્ટાત્મા નિરંતર ચેરી. * કર્યા કરતે, વળી તે અનેક દેશની ભાષાઓ બોલવામાં તેમજ વેષ પરિવર્તનમાં નિપુણ હતું. અને મહા કપટી પણ હતો. તે નગરમાં રત્નસાર નામનો એક રને વેપારી
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy