SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ કુમારને સત્કારપૂર્વક પ્રિયવચનોથી સર્વદા સંતોષવા લાગે, કિન્તુ પત્થર પર વાવેલા અનાજની માફક બધી મહેનત નિષ્ફળ થઈ, છતાં પણ તે વિરામ ન પામે, કેમકે આશા અમર હોય છે. કામાંધ પુરુષોને હઠાગ્રહ દુલધ્ય હોય છે. " એક દિવસ તે વિદ્યાધર તાપસકુમારને વનમાં મૂકી કાર્યનિમિત્તે પિતાના નગરે ગયે. એટલામાં તમે ત્યાં આવ્યા, તમને જ્યાં તે પિતાનું ચરિત્ર સંભળાવે છે, ત્યાં તે દુષ્ટ -વળિયાનું વિકરાળ રૂપ લઈ તાપસકુમારને પોતાના નગરમાં લઈ ગયે. ત્યાં મણિરત્ન સુવર્ણથી મંડિત દિવ્ય મહેલમાં લાવી, અશકમંજરી પાસે વિષયભેગની માગણી કરવા લાગે. પણ બાળાએ મૌન સાધી ઉત્તર આપે નહીં ત્યારે કોધિત થયેલે વિદ્યાધર બલવા લાગ્યું, “તું મારું કહ્યું નહીં કરે તે તને આ તલવારથી હણી નાખીશ.” એમ કહી કોધથી તપેલા વિદ્યાધરે મ્યાનમાંથી તલવાર કાઢી. હવે કુંવરીએ ધીરતા ધારણ કરીને કહ્યું: “હે સપુરુષ! બળથી કે છળવડે રાજ્યાદિક સમૃદ્ધિ મેળવી શકાય છે, પરંતુ સંબંધ તે પ્રેમથી જ થાય, તે પણ ઉભય પક્ષની ઈચ્છાથી, સામાના પ્રેમ વિના જે મૂઢ પુરુષ કામની પ્રાર્થના કરે તેનાથી મૂર્ખ આ દુનિયામાં બીજો કેણ હોઈ શકે ? ” તે સાંભળી અત્યંત ક્રોધિત થયેલે વિદ્યાધર બોલ્ય. અરે દુષ્ટા ! તું મને શિખામણ આપે છે? મારી સામે જ મારી નિંદા? ઊભી રહે હમણું હું તેને તારી જીંદગીને ચુકાદે આપું છું. એમ કહી તે તલવાર લઈ ધર્યો, ત્યારે તે બાળા બેલી, અરે દુષ્ટ ! અનિષ્ટ સંબંધથી મને મરણ
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy