SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ કહી તે કિન્નર ગગન માગે જતા રહ્યો. કિન્નરના આવાં વચન સાંભળી વિચારવમળમાં અટવાયેલેા રત્નસાર ઘેર આવી ચિંતવવા લાગ્યા. ખરેખર, મારા પિતાએ મારાથી છાના અશ્વ સતાડયો છે, તેમણે હજી સુધી મને શા માટે ન અતાવ્યો ? મારાથી સતાડવાનું શું પ્રયેાજન ? એમ વિચારી બારણાં બંધ કરી તે તૂટેલી ખાટ પર સૂતા. ઘેાડી વારમાં તેના પિતા આવ્યા. પુત્રની આ પરિસ્થિતિ જોઈ કહેવા લાગ્યા, “ હે પુત્ર, તને શુ થયુ' છે? કાંઈ મનની, શરીરની કે હૃદયની પીડા થઈ છે ? જે થયું તે કહે, કારણ કે વ્યાધિ જાણ્યા વગર ઈલાજ થતા નથી.” પિતાના વચનથી સંતુષ્ટ થયેલા રત્નસાર દ્વાર ઉઘાડી બહાર આવ્યા, તેના પિતાએ પણ બહાર આવી હઠનું કારણ પૂછ્યું. ત્યારે તેણે અન્ય સંબધી, સઘળી હકીકત કહી, તે સાંભળી શ્રેષ્ઠી ખેલ્યો. “ હે પુત્ર ! સાંભળ ! તું મારે એક જ પુત્ર છે. અગર તું અશ્વ પર આરૂઢ થઈ પૃથ્વી પર પરિભ્રમણ કરે અને તારા વિયોગનું દુ:ખ થાય તે કારણથી મે અશ્વ સંતાડી રાખ્યા છે, માટે તું રીસ છેાડી દે. હું તને અશ્વ આપું છું તેને તું ફાવે તેમ કર. એમ કહી શ્રેષ્ઠીએ રત્નસારને ઘેાડા સાંપ્યો. પછી જોઇએ શુ ?. હર્ષઘેલા રત્નસાર અશ્વની પીઠ પર આરૂઢ થઈ મિત્રા સાથે નગર બહાર આવી, વેગપૂર્વક પૃથ્વી પર પરિભ્રમણ કરવા લાગ્યો. અહી' રત્નસારને ઘેર પીજરામાં રહેલા પોપટે વસુકુમાર શ્રેષ્ઠીને કહ્યું કે, “ હે તાત, હું કુમારની શુદ્ધિ માટે તેમની ''
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy