SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સૂરસેન મંત્રિત જળથી તેની જીભ સીંચવા લાગ્યો તેમ તેમ તેને શાંતિ થવા લાગી. મહામંત્રના પ્રભાવથી તેને વ્યાધિ દુધ સાથે નાશ પામ્યો. રાજાદિ બાંધવ વર્ગ મહાસેનને રોગમુક્ત જોઈ અત્યંત ખુશ થયા અને ધર્મવિષયમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવા લાગ્યા. એક દિવસ ત્યાં અવધિજ્ઞાનથી અલંકૃત ભદ્રબાહુસૂરિ સપરિવાર સમવસર્યા તે સાંભળી સૂરસેન અને મહાને ત્યાં આવી સૂરિજીને વિધિપૂર્વક વાંધા અને યાચિત આસને બેસી દેશના સાંભળવા લાગ્યા. દેશનાના અંતે સૂરસેને પૂછ્યું: “હે ભગવન ! મારા ભાઈની જીભમાં રેગ શાથી થયો?” સૂરિજી બોલ્યા, હે ભાગ્યશાળી ! સાંભળ... આ ભરતક્ષેત્રમાં અખંડ ધનધાન્યના ભંડાર જેવુ મણિપુર નામનું નગર છે. ત્યાં મદન નામને જિન ધર્માનુરાગી સુભટ વસતો હતો તેને નામ જેવા જ ગુણવાળા ધીર અને વર નામના પિતાના બન્ને બાહ જેવા જ બે પુત્રો હતા તે બને જિનધર્મના મર્મને તેમજ જીવાજીવાદિ તના જાણકાર હતા. તેઓ ધર્મકાર્યમાં હમેશાં તત્પર રહેતાં. ' એક દિવસ તે બન્ને ભાઈઓ ઉદ્યાન તરફ જતાં હતાં ત્યાં રસ્તામાં એક મુનિને પૃથ્વી પર પડેલા જોયા. ઉદાસ ચહેરે આજુબાજુ ઉભેલા કેટલાક માણસમાંથી એકને તેમણે પૂછ્યું, “હે ભાઈ! આ મુનિરાજને શું થયું છે? તેણે કહ્યું “મુનિ કાર્યોત્સર્ગમાં ઊભા હતા, તેટલામાં તેમને એક સર્પ કરડી દરમાં પેસી ગયે. તે સાંભળી ના ભાઈવર બે, હે કે ! ભાગતા સપને તમે પકડીને કેમ મારી ન નાખે?, ધીર બોલ્યા, હે ભાઈ! જે સર્ષ પિતાના
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy