SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ કાઢે ૧૭ એ રીતે ઊલટી-વમન કરે ૧૮ દાંત પાડે ૧૯ વિશ્રામણા કરાવે હાથ-પગ દબાવડાવે ૨૦ બકરી-અશ્વ આદિનું દમન કરે ૨૧થી ૨૮ દાંતનો-આંખનો-નખતો-ગંડકગૂમડાનો-નાકનો-માથાનોકાનનો-શરીરનો મેલ જિનગૃહમાં પાડે ૨૯ ભૂતાદિ નિગ્રહ રૂપ મંત્ર કરે અથવા રાજાદિ કાર્યનું આલોચન કરે ૩૦ મિલન=જ્ઞાતિ આદિ સમુદાયની ખબર-અંતર પૂછે ૩૧ લેખક વ્યવહારાદિ કરે ૩૨ ત્યાં=જિતભવનમાં, દાયાદાદિનું વિભાજન કરે=લેવડ-દેવડની પ્રવૃત્તિ કરે. ૩૩ પોતાના દ્રવ્યાદિનું ભાંડારગર રાખે ૩૪ દુષ્ટાસન=પગ ઉપર પગ ચઢાવીને બેસે ૩૫થી ૩૯ છાણ-વસ્ત્ર-મગ આદિની દાળ-પાપડ-વડી આ બધાના ઉપલક્ષણપણાથી અન્ય પણ કરીર-ચીભડાં આદિને સૂકવવા માટે પાથરવા ૪૦ લાશન=રાજાદિના ભયથી દહેરાસરાદિમાં છુપાવું ૪૧ આજંદ=રુદન કરવું ૪૨ ચાર પ્રકારની વિકથા કરવી ૪૩ શરોનું=બાણોનું અને શેરડીનું ઘડવું, સત્ય એ પ્રમાણે પાઠ હોતે છતે બાણોનું-અસ્ત્રોનું અને ધનુષ આદિનું ઘડવું ૪૪ તિર્યંચ એવા ગાય આદિનું સ્થાપન કરવું ૪૫ ઠંડીથી પીડાતાં અગ્નિનું સેવન કરવુંeતાપણું કરવું ૪૬ ધાવ્યાદિનું રાંધવું ૪૭ નાણાંનું પરીક્ષણ કરવું ૪૮ વૈધિકી કરાયેલ હોવા છતાં પણ સાવધ વ્યાપારનું કરણાદિ ૪૯-૫ર છત્ર-જોડા-શસ્ત્ર-ચામરોનું દેવગૃહની બહાર મૂકવું ૫૩ મનને એકાગ્રત કરે પ૪ તૈલાદિથી અત્યંગકતેલાદિથી શરીરની માલીશ કરે પપ સચિતાદિ પુષ્પાદિતો અત્યાગ કરે અર્થાત્ સચિતાદિ ફૂલની માળા વગેરે ધારણ કરીને દહેરાસરમાં જાય. ત્યાગ' શબ્દ પરિહાર અર્થમાં છે. પ૬ અજીવ એવા હાર-મુદ્રિકા આદિનો અત્યાગ ૫૭ જિન જોવાયે છતે અંજલિ જોડે નહિ ૫૮ એક સાટિક ઉત્તરાસન કરે નહિ ૫૯ મસ્તક ઉપર મુગટનું ધારણ કરે ૬૦ મૌલિકમસ્તકને વેપ્ટન વિશેષરૂપ મૌલિ કરે ૬૧ કુસુમાદિમય શેખર કરે ૬૨ પણકરણ=શરત કરે અને પણકરણ=શરત કરવા રૂપ હુડા તેને કરે ૬૩ જિંડુકકકડુકઃખણજ કરે ૬૪ પિતા આદિનું જોત્કારકરણ પિતાદિને ભેટવા રૂપ જુહાર કરે ૬૫ કક્ષાવાદનાદિ ભાંડક્રિયા કરે ૬૬ કોઈકને તિરસ્કાર માટે રેકાર કરે ૬૭ ધરણ=લભ્ય દ્રવ્યના ગ્રહણ માટે લાંઘણપૂર્વક બેસવું ૬૮ રણ=સંગ્રામ=બાહુ યુદ્ધાદિ કરે ૬૯ વિવરણ=વાળોનું વિજટીકરણ=વાળ છૂટા કરે ૭૦ પર્યસ્તિકાકરણ ૭૧ પાદુકા=ચરણક્ષોપકરણ ૭૨ બે પગનું પ્રસારણ કરે ૭૩ પુડપુડી આપે=સિસોટી વગાડે ૭૪ પોતાના શરીરના સાફ કરવાદિ દ્વારા કાદવ કરે ૭૫ રજ પાતન કરે=ધૂળ નાખે ૭૬ મૈથુન-કામક્રીડા કરે ૭૭ જૂ નાખે ૭૮ જેમન=ભોજન કરે ૭૯ ગુલિંગ તેની અસંવૃતતા ૮૦ વૈદ્યક કરે ૮૧ વાણિજ્ય-જય-વિક્રયાદ કરે ૮૨ શય્યા=શયન કરે ૮૩ ત્યાં=દહેરાસરમાં જલપાન માટે પાણી મૂકે અથવા પીએ અથવા વર્ષાઋતુમાં ગ્રહણ કરે ૮૪ મજ્જત=સ્નાન કરે. આ પ્રમાણે ઉત્કૃષ્ટથી ચોર્યાશી (૮૪) આશાતનાઓ છે. વળી, બુંદભાષ્યમાં પાંચ જ આશાતના કહેવાઈ છે. જે આ પ્રમાણે – “જિનભવન વિષયક ૧. અવજ્ઞા, ૨. પૂજાદિમાં અનાદર, ૩. તે પ્રકારનો ભોગ, ૪. દુષ્મણિધાન, ૫. અનુચિત પ્રવૃત્તિ પાંચ આશાતના છે.” II૧TI.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy