SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ go ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧. કારકસમ્યક્ત : જે જીવો ભગવાનના વચનમાં રુચિવાળા છે અને સન્માર્ગના પરમાર્થને યથાર્થ જાણનારા છે, જિનવચનાનુસાર અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરનારા છે, તેઓની અપ્રમાદભાવની પ્રવૃત્તિ અન્ય જીવોને પણ આ જ જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ છે તેવો બોધ કરાવનાર હોવાથી અને પોતાના જીવનમાં પણ જે બોધ છે તે અનુસાર પ્રવૃત્તિ કરાવનાર હોવાથી “કારકસમ્યક્ત' છે. ૨. રોચકસભ્યત્ત્વ - જે જીવોને ભગવાનના વચનમાં સ્થિર રુચિ છે, તેથી ભગવાનનું વચન જ સર્વ કલ્યાણનું કારણ ભાસે છે માટે શક્તિ અનુસાર ભગવાનના વચનને જાણવા અને જીવનમાં સેવવા માટે યત્ન કરે છે તેવા જીવોને “રોચક સમ્યક્ત' છે. ૩. દીપકસમ્યક્ત - જે જીવો સ્વયં મિથ્યાદૃષ્ટિ છે. છતાં ભગવાનનાં વચનનો યથાર્થ ઉપદેશ આપીને યોગ્ય જીવોમાં સમ્યક્ત પ્રગટ કરે છે, તેવા અંગારમÉકાદિ આચાર્ય જેવા જીવોમાં દીપકસમ્યત્ત્વ છે. વળી, ઉપશમાદિના ભેદથી સમ્યક્ત ત્રણ પ્રકારે છે – ૧. ઉપશમ સમ્યક્ત. ૨. ક્ષયોપશમ સમ્યક્ત. ૩. ક્ષાયિક સમ્યક્ત. વળી, ઉપશમાદિના ભેદથી સમ્યક્ત ચાર પ્રકારે છે – ૧. ઉપશમ સમ્યક્ત. ૨. ક્ષયોપશમ સમ્યક્ત. ૩. ક્ષાયિક સમ્યક્ત. ૪. સાસ્વાદન સમ્યક્ત. વળી, ઉપશમાદિના ભેદથી સમ્યક્ત પાંચ પ્રકારે છે – ૧. ઉપશમ સમ્યક્ત. ૨. ક્ષયોપશમ સમ્યક્ત. ૩. ક્ષાયિક સમ્યક્ત. ૪. સાસ્વાદન સમ્યક્ત. ૫. વેદક સમ્યક્ત. વળી, ઉપદેશરુચિ આદિના ભેદથી સમ્યક્ત દસ પ્રકારે છે.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy