SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ શિથિલ=મંદવીર્યવાળા, આદ્રપરિણામવાળા=પુત્રાદિ સ્નેહ વડે કરીને આદ્રક પરિણામવાળા, ગુણાદિ આસ્વાદનવાળા શબ્દાદિ વિષયોરૂપ ગુણોના આસ્વાદને કરનારા પૌદ્ગલિક ભાવોના આસ્વાદને કરનારા, વક્ર સમાચારવાળા=માયાવી, પ્રમ=પ્રમાદવાળા, અગારમાં રહેનારા=ઘરમાં વસતા એવા વડે આ શક્ય નથી=સમ્યક્વાદિ ત્રયરૂપ મૌન શક્ય નથી=રત્નત્રયીરૂપ મૌન શક્ય નથી.” “મુનિ મૌનને=અશેષ સાવઘની નિવૃત્તિરૂપ મૌનને, ગ્રહણ કરીને કર્મ અને ઔદારિક શરીરને ધુણન કરે. કેવી રીતે ધુણન કરે ? પ્રાંત અને રુક્ષત્રપ્રાંત જ એવા રૂક્ષપણાદિને સેવતા વીર સમ્યગ્દર્શનવાળા છે." “નનુ'થી શંકા કરે છે – આ રીતે પણ=પૂર્વમાં નિશ્ચય સખ્યત્વનું સ્વરૂપ બતાવ્યું એ રીતે પણ, કારકસમ્પર્વતો અને નિશ્ચયસમ્યત્વનો ભેદ થાય નહિ; કેમ કે ક્રિયાથી ઉપહિત જત્રક્રિયાથી યુક્ત જ, કારણપણું છે સમ્યત્ત્વનું કારકપણું છે. અને ક્રિયાનું ચારિત્રરૂપપણું છે. જ્ઞાનાદિમય પરિણામનું પણ તથાપણું છે=ચારિત્રરૂપપણું છે. એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર તથી=કારક સમ્યક્ત અને નિશ્ચય સમ્યક્તનો ભેદ નથી એ કથન બરાબર નથી; કેમ કે ઉપધેયના સંકરમાં પણ ઉપાધિનું અસાંકર્યું હોવાને કારણે દોષ નથી=કારક સમ્યક્ત અને નિશ્ચય સમ્યત્વનો ભેદ સ્વીકારવામાં દોષ નથી. અહીં પ્રશ્ન થાય કે કારકસમ્યક્ત અને નિશ્ચયસમ્યક્તની ઉપાધિનું અસાંકર્ય કઈ રીતે છે ? તેથી તે બેની ભિન્ન ઉપાધિ બતાવે છે – કારક સખ્યત્ત્વમાં ‘ક્રિયા ઉપહિતત્વ' ઉપાધિ છે અને વૈશ્ચયિક સખ્યત્વમાં જ્ઞાનાદિમયત્વ', ઉપાધિ છે. તિ” શબ્દ કારકસમ્યત્ત્વના અને વૈશ્ચયિક સમ્યક્વતા ભેદની શંકાના સમાધાનની સમાપ્તિ અર્થક છે. આવા પ્રકારના વૈશ્ચયિક સમ્યક્તને સ્વીકારીને જ જ્ઞાનાદિમયતારૂપ વૈશ્ચયિક સમ્યક્તને સ્વીકારીને જ, પ્રશમાદિનું લક્ષણ સિદ્ધાંતમાં કહેલું સંગત થાય છે. અન્યથા શ્રેણિક-કૃષ્ણાદિને પણ તેનો અસંભવ હોવાને કારણે લક્ષણના વ્યાઘાતનો સંભવ છે. તે વિંશિકામાં શ્રી હરિભદ્રાચાર્ય વડે કહેવાયું છે – વ' અથવા “સુમનનિવારૂપ'=સૂત્રમાં કહેવાયેલા નિપુણ આચરણા કરવા રૂપ જ “ fછયસમ્મત્ત'= નિશ્ચય સમ્યક્તને “દિગ્વિ '=આશ્રયીને “મો'=આ=પૂર્વમાં વર્ણન કરાયેલા અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચે ભાવોનો સમુદાય વંવિદો' પૂર્વમાં વર્ણન કરાયો છે એવા પ્રકારનો ‘ fમોજો'=નિર્દેશ “વભુત્તિ =વાચ્ય હો =થાય છે. હંત'=કોમળ આમંત્રણમાં અવ્યય છે. અથવા સૂત્રમાં કહેવાયેલ નિપુણ આચરણા કરવા રૂપ જ નિશ્ચયસમ્યક્તને આશ્રયીને પૂર્વમાં વર્ણન કરાયેલ અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચેય ભાવોનો સમુદાય પૂર્વમાં વર્ણન કરાયો છે, એવા પ્રકારનો નિર્દેશ વાચ્ય થાય છે.” આનો વિશેષ અર્થ અમારા સદુધર્મવિશિકા'ના લખાણથી જાણવો.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy