SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ C ---- ----- શ્રીકરપ્રકરસ્પષ્ટથદિર તરત પકડજે. નગરીને ઘેરી છે એવું નહિ જાણતા તે ચારને શંકા ભરેલી રીતે નગરમાં પ્રવેશ કરતો જાણુને અને આકાર વગેરેથી ચોર જે જણવાથી સૈનિકેએ તેને પકડે અને બાંધીને શ્રેણિક રાજાને સેં. હવે શ્રેણિક રાજાએ અભયકુમારને પૂછ્યું કે આ ચારને શી સજા કરવી? ત્યારે અભયકુમારે કહ્યું કે ચેરીના મુદ્દામાલ સિવાય પકડાએલા આને સજા કરવી યોગ્ય નથી. ત્યારે રાજાએ ચોરને પૂછ્યું કે તું કેણુ છે? તારું નામ શું છે? કયાંનો રહેવાસી છે? તું કઈ રીતે આજીવિકા ચલાવે છે? અને શા માટે અહીં આવ્યા છે. ત્યારે તેણે પણ રાજાને કહ્યું કે હું દુર્ણચંડ નામે ખેડૂત છું. શાલિગ્રામમાં રહું છું અને કાર્ય પ્રસંગે નગરમાં આવતું હતું ત્યારે મોડું થઈ જવાથી મને શેકીને બાંધીને અહીં લાવવામાં આવ્યું છે, માટે આ વિષે તમે જ વિચાર કરે. રાજાએ તેને કેદમાં રાખીને તેણે જે ગામ નામ વગેરે કહ્યું હતું, ત્યાં તપાસ કરાવી તે ત્યાંના લોકોએ પણ કહ્યું કે અહીં દર્શચંડ રહે છે અને કાલે તે કામ પ્રસંગે બહાર ગામ ગયેલ છે. ચાર પણ વિશાલ બુદ્ધિવાળા અને દીર્ઘદશી હોય છે અને આ રોહિણેયે પણ આ પ્રમાણે પ્રથમથી જ સંકેત કરી રાખ્યો હતો. તેથી ત્યાંના લોકોએ પણ તે પ્રમાણે કહ્યું. અભયકુમારે પણ વિચાર્યું કે આનું કપટ સારી બુદ્ધિવાળાથી પણ પકડાય તેવું નથી. * હવે તે ચેરની સાબીતી માટે અભયકુમારે બીજી યુકિત રચી. તેણે દેવ વિમાન સરખા એક સાત ભૂમિવાળા મહેલને
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy