SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ અક્વન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન ને ઉત્તર દિશામાં આમ્રવન છે; એ રીતે સર્વ માનીને ફ૪ વન છે. વળી એ ઉપર કહેલી ૧૬ વાવડીએમાંની દરેક વાવડીમાં અતિમધ્ય ભાગે સ્ફટિક રત્નને એકેક દધિમુખ પર્વત છે. તે સ્ફટિક રત્નના હેવાથી વેત વર્ણના છે, તે સોલે દધિમુખ પર્વતે ધાન્યના પથે સરખા અથવા પ્યાલા સરખા આકારવાળા છે. તેથી મૂળમાં ૧૦ હજાર જન અને શિખર ઉપર પણ ૧૦ હજાર જન પ્રમાણ વિસ્તારવાળા છે, અને જળમાં ઉંચાં ૬૪૦૦૦ જન છે, ને ભૂમિમાં ૧૦૦૦ (એક હજાર) જન ઉંડા ગયેલા છે, તથા એક દિશામાં રહેલી જ વાવડીએના આંતરામાં બે બે રતિકર પર્વતે પઘરાગ રત્નના (માણિકય રત્નના) હોવાથી લાલ વર્ણન છે. એ પ્રમાણે બાકીની ત્રણ દિશિમાં પણ ચાર ચાર આંતરામાં બે બે રતિકર હોવાથી સર્વ મળી ૩૨ રતિકર પર્વત છે, એ પ્રમાણે નંદીશ્વર દ્વીપમાં એકજ દિશામાં ૧ અંજનગિરિ પર્વત, તેની ચાર દિશાની ચાર વાવડીઓમાં ૪ દધિમુખ પર્વત, અને ચાર વાવડીઓના ૪ આંતરામાં બે બે રતિકર મળી ૮ રતિકર પર્વત, એ ૧૩ પર્વત જેમ પૂર્વ દિશામાં છે તેવીજ સરખી રચનાવાળા ૧૩ પર્વતે દક્ષિણ દિશામાં, ૧૩ પર્વતે પશ્ચિમ દિશામાં અને ૧૩ પર્વતે ઉત્તર દિશામાં મળી પર પર્વતે છે, એ દરેક ઉપર એકેક શાશ્વત દેહરાસર હોવાથી નંદીવરનાં પર દેહાં (બાવન દેહરાં કહેવાય છે તે પ્રસિદ્ધ છે. નંદીશ્વરનાં એ બાવન શાશ્વત દેહરાસર ૧૦૦ જન લાંબાં, ૫૦ એજન પહેલાં ને ૭૨ જન ઉંચાં છે, સિંહ
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy