SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અને એ કદંબવિહારની ભવ્ય રચના દેખતાં જ શ્રી નંદીશ્વર દ્વીપમાં રહેલા બાવન સુંદર ચિત્યોનું સ્મરણ થાય છે. તે ૧૦૮ છે પ્રસંગાગત શ્રીનંદીશ્વર દ્વીપનાં બાવન દેરાસરોની સંક્ષિપ્ત વિગત અસંખ્યાત દ્વીપ ને અસંખ્યાત સમુદ્ર આ તીરછલકમાં છે, તેમાં સર્વના મધ્ય ભાગે પહેલે જ બૂઢીપ નામને દ્વિીપ છે. તે એક લાખ જન વિસ્તારવાળે છે, તેને ફરતે પહેલે લવણ સમુદ્ર છે. તે એક બાજુના વલય વિસ્તારમાં બે લાખ યજન વિસ્તાક્ષાળે છે અને એને ખ્યા પાંચ લાખ જન છે. તેને ફરતે બીજે ધાતકીખંડ નામનો દ્વિપ છે, તે એક બાજુના વલય વિસ્તારમાં ૪ લાખ યજન વિસ્તારવાળે છે. અને એને વ્યાસ ૧૩ લાખ જન છે તેને ફરતે કાલેદધિ સમુદ્ર નામનો બીજો સમુદ્ર વલય વિસ્તારમાં એક કાજુએ ૮ લાખ જન વિસ્તારવાળે છે, ને એને -વ્યાસ ૨૯ લાખ યોજન છે. તેને ફરતે પુષ્કરદ્વીપ નામને ત્રીજે દ્વીપ ૧૬ લાખ જિન એક બાજુના વલય વિસ્તારવાળે છે, ને તેને વ્યાસ ૬૧ લાખ ચોજન છે. પરંતુ આ દ્વીપના અર્ધ વલય વિસ્તારમાંજ મનુષ્યની વસતિ છે અને બીજા અર્ધ ભાગમાં મનુષ્યની વસ્તી નથી, પરંતુ તિર્યંચાદિકની વસ્તી છે, તેથી એ દ્વીપના બે વિભાગમાંથી પહેલા અર્ધવિભાગમાંજ એટલે ૮ લાખ વલય વિસ્તારમાંજ મનુષ્યની વસ્તી છે અને બીજા ૮ લાખના વલય વિસ્તારમાં મનુષ્યની વસ્તી ન હોવાથી તેમજ એ બે વિભાગની વચ્ચે માનત્તર
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy