SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ યુકે પ્રભુ પ્રતિમાજીને અનાદર કરતા તે માન્યતાને તજીને પ્રતિમાજીને માનનારા, પૂજભક્તિ કરનારા થયા. અહીંથી વિહાર કરીને સાદડી ગામમાં વિ. સં. ૧૯૭૨નું ચોમાસું કર્યું. અહીં અનેક શાસન પ્રભાવનાના કાર્યો થવા ઉપરાંત શ્રીગુરૂ મહારાજે ચોમાસા બાદ મુનિ વિજ્ઞાનવિજયને ગણિપદ અને પંન્યાસજી મહારાજ શ્રી પ્રેમવિજયજી ગણી તથા સુમતિવિજયજી ગણિ, દર્શનવિજયેજી ગણિ,ઉદયવિજયજી ગણિ એમ ચારે પન્યાસને વિસંવ ૧૭૩માં ઉપાધ્યાયપદ આપ્યું. તથા ચોમાસા પહેલા દીક્ષિત થયેલા મુનિશી લાવયવિજયજીને વડી દીક્ષા આપી. આ પ્રસંગે અહીંના શ્રી.સંઘે અણાલિકા મહત્સવાદિ ધાર્મિક કાર્યો પૂર્ણ ઉત્સાહથી ઉજવીને જિનશાસનની સારી પ્રભાવના કરી હતી. અહીંથી વિહાર કરીને શિખ્યાદિ સહિત શ્રીગુરૂ મહારાજ પાલડી પધાર્યા. અહીં શ્રીગુરૂ મહારાજની અમૃતમય દેશના સાંભળીને શેઠ સાધુઓએ કરવી ઉચિત નથી. માટે પ્રતિક્રમણ આદિ પ્રસંગોમાં એ દેવ દેવીઓના સ્મરણાર્થે કાઉસ્સગ કરી તેની થેય ન કહેવી જોઈએ, ત્રણ થાયજ કહેવી ઉચિત છે, એ પ્રમાણે માનનારા તે ત્રણ યુઈના મતવાળા ગણાય છે. અને શ્રી જૈનેન્દ્રાગમાદિ શાસ્ત્રોમાં ચાર થાય કહેવાને વિધિ હોવાથી તે પ્રમાણે વર્તનારા ચાર થાય કરે છે. અહીં ચેથી થઈને ઉદ્દેશ મુખ્યત્વે એ છે કે દેવ દેવી જે કે અવિકતિ છે તો પણ શાસનના. હાયક તરીકે માનીને તેમને કાઉસ્સગ્ન અને સ્મરણરૂપ થાય કહેવાય, તે વ્યાજબી જ છે. તે અવિરતિ સમ્યગૂદષ્ટિ દેવને અવિરત હોવાથી દેશવિરતિવંત બાવક અને સર્વવિરત સાધુઓ દેવબુદ્ધિએ વંદના નમસ્કારાદિન કરે, પરંતુ શાસનના રક્ષણમાં સમર્થ હાય કરનાર તરીકે ચેયો સ્તુતિમાં તેમનું સ્મરણ માત્ર કરે છે તેમાં અનુચિત જેવું કંઈ નથી, વિશેષ વિસ્તાર અન્ય ગ્રંથેથી, જાણ.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy