SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકÉરપ્રકરસ્પષ્ટાદિક ૫૧૯ જેમ વર્ષાઋતુમાં તેને વિશેષ મહિમા હોય છે. તેથી હે ભવ્ય જીવ ! કુત્રિકા પણ જોવા અહીં (વ્યાખ્યાનમાં ) ગણિમાદિ વસ્તુની જેમ દાનાદિને પુણ્ય ત્રાદ્ધિને માટે વિશેષતાથી ગ્રહણ કરે. ૧૩૮ પટ્ટાથ – હંમેશાં વ્યાખ્યાનનું સાંભળવું તે હર્ષને માટે થાય છે. કારણ કે જેમ અમૃતનું પાન હંમેશાં કરે તે પણ તેના તરફ અરૂચિ (અણગમો) થતો નથી, પણ મન રાજી થાય છે, તેવી રીતે છોગુરૂમહારાજની પાસે આગમ વાણીનું સાંભળવું તે પણ હમેશાં આનંદને આપે છે. આથી ભવ્ય જીવોએ વ્યાખ્યાન હંમેશાં સાંભળવું જોઈએ. તેમાં પણ વર્ષાઋતુમાં તો વ્યાખ્યાન શ્રવણને વિશેષ મહિમા કહેલ. છે. આ બાબતમાં દષ્ટાંત આપતાં જણાવે છે કે જેમ મેરને શબ્દ દરેક તુમાં આનંદકારી થાય છે તે છતાં વર્ષાઋતુમાં મેરનો શબ્દ વધારે મીઠે અને પ્રિય લાગે છે. માટે હે. ભવ્ય ને ! કુત્રિકાપણું એટલે જે હાટમાં દુનિયાની દરેક પ્રકારની ચીજો વેચાતી મળતી હોય તેવી દુકાન જેવા આ વ્યા ખ્યાન સાંળવાના શુભ પ્રસંગમાંથી પુણ્ય રૂપી સંપત્તિ મેળવવા માટે ગણિમ આદિ (એટલે સપારી વગેરે જે ચીજે ગણત્રીશી મળતી હોય તેવી તથા બીજી ચીજો) પદાર્થોની જેવા દાનાદિકને એટલે દાન, શીલ, તપ તથા ભાવના રૂપ ધર્મને જરૂર અતિશયે કરીને ગ્રહણ કરશે. કારણ કે જેમ કુત્રિકાપણમાં દરેક જાતની વસ્તુઓ મળે છે તેમ આ જૈનાગમના વ્યાખ્યાન શ્રવણમાંથી પણ દ્રવ્યાનુગાદિ ચારે અનુગની તાત્વિક બીના જાણું શકાય છે. આ રીતે વ્યાખ્યાનનું સ્વરૂપ જાણીને ભવ્ય
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy